Intrahepatic cholestasis of pregnancy (obstetric cholestasis)

ગર્ભાવસ્થાના ઇન્ટ્રાહેપેટિક કોલેસ્ટેસિસ (પ્રસૂતિ કોલેસ્ટેસિસ)

Close up of woman's hand scratching her bare foot આ એક લીવર ડિસઓર્ડર (યકૃતનો વિકાર) છે જે ગર્ભાવસ્થામાં થઈ શકે છે, સામાન્ય રીતે આ રોગ 30 અઠવાડિયાની ગર્ભાવસ્થા પછી થાય છે, પરંતુ ક્યારેક 8 અઠવાડિયાની શરૂઆતમાં પણ થઈ શકે છે, જે દર 140 ગર્ભવતી મહિલાઓમાંથી એકને અસર કરે છે. લક્ષણોમાં સામેલ હોઈ શકે છે:
  • ખંજવાળ, સામાન્ય રીતે હાથ અને પગ પર પરંતુ જે શરીર પર ગમે ત્યાં થઈ શકે છે
  • ઘેરો પેશાબ, ફીક્કો (ઝાંખો) મળ
  • ત્વચા પીળી થવી અને આંખો સફેદ થવી.

Gestational diabetes: Frequently asked questions

ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

જો નીચેના જોખમી પરિબળોમાંથી કોઈ તમને લાગુ પડતા હોય તો GDM માટે તમારી તપાસ કરવામાં આવશે:
  • મેદવૃદ્ધિ
  • અગાઉ 4.5 કિલો વજનનું બાળક
  • ડાયાબિટીસ સાથેનો પારિવારિક ઇતિહાસ
  • તમારી વંશીયતા
  • અગાઉની ગર્ભાવસ્થા સમયે થયેલો ડાયાબિટીસ અથવા
  • તમારા પેશાબમાં સતત શુગર હોય છે. ખાંડયુક્ત પીણું પીધા પછી તમારાં બ્લડ શુગર (ગ્લુકોઝ) સ્તરને માપતી બ્લડ ટેસ્ટ આ નિદાનની પુષ્ટિ કરશે.

આનો અર્થ શું છે?

મારા માટે: GDM તમારી ગર્ભાવસ્થા દરમિયાન પ્રી-એક્લેમ્પસિયા થવાની અને પછીના જીવનમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતામાં વધારો કરે છે. મારા બાળક માટે: કસુવાવડ થવાનું જોખમ ઘણું વધારે છે. તમારા બ્લડમાં શુગરનું સ્તર તમારા બાળકના કદમાં વધારો કરી શકે છે. આને લીધે બાળકને જન્મ આપવાનું તમારા માટે મુશ્કેલ બની શકે છે અને બાળકને શોલ્ડર ડાયસ્ટોસિયા થવાનું જોખમ વધી જાય છે. તમારા બાળકને પણ જીવનમાં આગળ સ્થૂળતા અથવા ડાયાબિટીસ મેલીટસ થવાનું જોખમ રહેશે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારે ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીનાં સંયુક્ત ક્લિનિકની અનેક વાર મુલાકાત લેવી પડશે. તમારે તમારા આહારમાં ફેરફાર કરવો પડશે અને શારીરિક પ્રવૃત્તિ વધારવી પડશે. જીવનશૈલીમાં આ ફેરફારો તમારા બ્લડ શુગર લેવલને ઘટાડવામાં મદદ કરશે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમને તમારા બ્લડ શુગરનું લેવલ કેવી રીતે તપાસવું તે શીખવવામાં આવશે અને તમારું ટારગેટ બ્લડ શુગર લેવલ શું હોવું જોઈએ એ જણાવવામાં આવશે. તમને દિવસમાં ચાર વખત તમારા બ્લડ શુગરનું સ્તર માપવાનું કહેવામાં આવશે, એક વખત નાસ્તો કરતાં(ઉપવાસ) પહેલાં અને દરેક ભોજનનાં એક કલાક પછી. બાળકનો જન્મ થાય ત્યાં સુધી તમારે આ દરરોજ કરવું પડશે.

મારે કયા લક્ષણો અને સંકેતો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?

સામાન્ય રીતે GDMનાં કોઈ લક્ષણો હોતા નથી. જો તમારું બ્લડ શુગર લેવલ ઊંચું હોય તો તમને લાગશે કે તમને પેશાબ લાગ્યો છે, તમને તરસ લાગે છે અથવા યોનિમાર્ગમાં થ્રશ (યોનિમાર્ગમાં ખંજવાળ અને સફેદ થ્રશ)થાય છે.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમારા બાળકનું હલનચલન સામાન્ય કરતા ઓછું હોય.

સારવારના વિકલ્પો વિશે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?

સૌપ્રથમ તમને આહારમાં ફેરફાર વિશે સલાહ આપવામાં આવશે અને જો આનાથી ફાયદો ન થાય, તો તમને મેટફોર્મિન અથવા ઇન્સ્યુલિન આપવામાં આવશે. આ બધી દવાઓ તમારા બાળક માટે સુરક્ષિત છે.

જન્મનાં સમય વિશે ભલામણો કેવી રીતે કરવામાં આવે છે?

જન્મનો સમય બાળકના કદ અને તમારા બ્લડ શુગર કંટ્રોલના આધારે બદલાઈ શકે છે.

આની મારી જન્મ આપવાનાં વિકલ્પની પસંદગી પર શી અસર થશે?

અમે તમને નિયત તારીખ પહેલાં તમારા બાળકની ડિલિવરીની સલાહ આપીશું.

જન્મ પછી આના માટે શું કાળજી રાખવી પડે છે?

બાળકને જન્મ આપ્યા પછી તમે બ્લડ ગ્લુકોઝ લેવલ તપાસવાનું બંધ કરી શકો છો.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી ન બને એ માટે હું શું કરી શકું?

GDMને લીધે ભવિષ્યની ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક લેવો અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી અને ગર્ભાવસ્થા પછી પણ આ જીવનશૈલી ચાલુ રાખવી મહત્વપૂર્ણ છે. આને લીધે ભવિષ્યની ગર્ભાવસ્થામાં ઊભાં થતાં જોખમમાં ઘટાડો થશે.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું એ માટે શું કરી શકું?

GDMને લીધે ભવિષ્યમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. ગર્ભાવસ્થા દરમિયાન અને પછી પણ પૌષ્ટિક ખોરાક અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ ચાલુ રાખવી મહત્વપૂર્ણ છે. આને લીધે ભવિષ્યમાં તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ ઘટશે. તમને ટાઇપ 2 ડાયાબિટીસ મેલીટસ છે કે નહીં તે તપાસવા માટે તમારે દર વર્ષે GPની મુલાકાત લેવી પડશે.

આ સ્થિતિ વિશેની વધુ માહિતી હું ક્યાંથી મેળવી શકું?

Diabetes UK website Symptoms of gestational diabetes

Fibroids

ફાઇબ્રોઇડ્સ (ગર્ભાશયમાં બનેલી તંતુમય ગાંઠ)

Drawing of uterus showing fibroids which have grown inside and outside of it ફાઈબ્રોઈડ એ કેન્સર વિનાની સૌમ્ય વૃદ્ધિ (ગાંઠ) છે જે ગર્ભાશયમાં અંદર અથવા ઉપરની બાજુએ જોવા મળે છે. તે પોતાનાં સ્થાનનાં કારણે પ્રજનનક્ષમતા અને ગર્ભધારણ પર અસર કરી શકે છે. ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સનું પ્રમાણ ઘણું સામાન્ય છે. 25 થી 44 વર્ષની વયની 30% મહિલાઓમાં ફાઈબ્રોઈડના લક્ષણો જોવા મળે છે. આનો અર્થ એ છે કે ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ મહિલાના ફળદ્રુપ વર્ષો દરમિયાન સામાન્ય છે. અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર ન દેખાય ત્યાં સુધી તમને ફાઈબ્રોઈડ હોવાની તમને કદાચ ખબર પણ ન હોય. મોટાભાગની મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન ફાઈબ્રોઈડની કોઈ અસર થતી નથી, પણ ફાઈબ્રોઈડ ધરાવતી કેટલીક મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓ ઊભી થાય છે. ખાસ કરીને જો ફાઈબ્રોઈડ 5 સે.મી.થી વધુ હોય, તો ઘણી પીડાનું કારણ બને છે. ફાઈબ્રોઈડ ગર્ભાવસ્થા અને જન્મ દરમિયાન અન્ય મુશ્કેલીઓ ઊભી થવાનું જોખમ વધારી શકે છે જેમાં સામેલ છે:
  • ગર્ભના વિકાસમાં અવરોધ (ધીમી વૃદ્ધિ) – ગર્ભાશયમાં મોટા ફાઇબ્રોઇડ્સને કારણે જગ્યા ઓછી હોવાને લીધે બાળકનો વિકાસ અટકી શકે છે.
  • પ્લેસેન્ટલ એબ્રપ્શન – આ ત્યારે થાય છે જ્યારે ફાઇબ્રોઇડ દ્વારા અવરોધાવાને લીધે પ્લેસેન્ટા ગર્ભાશયની દિવાલથી દૂર થઈ જાય છે.
  • સમયથી પહેલાં જન્મ – ફાઈબ્રોઈડથી થતી પીડાને લીધે ગર્ભાશય સંકોચાઈ શકે છે, જેના પરિણામે બાળકનો જન્મ વહેલો થઈ શકે છે.
  • કસુવાવડ – ફાઈબ્રોઈડ ગર્ભાવસ્થાના પ્રારંભમાં અચાનક થતી કસુવાવડનું જોખમ વધારે છે.
  • સીઝેરીયન જન્મ – ગર્ભાશયમાં ફાઈબ્રોઈડની હાજરી અને એનાં સ્થાનને કારણે સીઝેરીયન જન્મની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જો ફાઈબ્રોઈડ્સ ગર્ભાશયના નીચેના ભાગમાં સ્થિત હોય, તો તે બર્થ કેનાલનાં મુખને બ્લૉક કરી શકે છે જેના પરિણામે સિઝેરિયન જન્મની જરૂર પડે છે.
  • પોસ્ટપાર્ટમ હેમરેજ – નબળું સંકોચન જન્મ પછી રક્તસ્રાવ તરફ દોરી શકે છે. જો ફાઈબ્રોઈડની હાજરીને કારણે ગર્ભાશય સંકોચાઈ શકતું ન હોય, તો પ્લેસેન્ટા પૂરી પાડતી રક્ત વાહિનીઓમાંથી લોહી સતત વહી શકે છે. પોસ્ટપાર્ટમ હેમરેજ (રક્તસ્ત્રાવ) એ મેડિકલ ઇમર્જન્સી છે અને સામાન્ય રીતે જન્મના 24-48 કલાક પછી થાય છે. તમારે તાત્કાલિક મદદ લેવી જોઈએ.
જો તમને ખબર હોય કે તમને ફાઈબ્રોઈડ છે અને તમને ગર્ભાવસ્થા દરમિયાન પીડા, રક્તસ્રાવ અથવા સંકોચનનો અનુભવ થાય છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા પ્રસુતિ યૂનિટ પાસેથી મેડિકલ સલાહ લેવી જોઈએ.

Deep vein thrombosis in pregnancy: Treatment

ગર્ભાવસ્થામાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ: સારવાર

જો તમારૂં લોહી ગંઠાવાને લીધે અથવા એવું થવાની શક્યતાને લીધે તમને લોહી પાતળું કરવાના ઇન્જેક્શનની સારવારની માત્રા સૂચવવામાં આવી છે, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી છે. આ પણ વાંચો:

તમારા માટે અને તમારી સંભાળ રાખતા સ્ટાફ માટે સલાહ

જો તમને લાગે કે લેબર શરૂ થઈ ગયું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અથવા તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થવાનો અનુભવ થાય છે

તો એ પછી લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન ન લો અને રિવ્યુ માટે તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો. લેબર વોર્ડમાં લેબરની સ્વયંભૂ શરૂઆત સાથે યોનિમાર્ગથી બાળકને જન્મ આપવાનું લક્ષ્ય રાખો.

જો જન્મનું પ્લાનિંગ વૈકલ્પિક સિઝેરિયન સેક્શન તરીકે કરવામાં આવે છે

ઑપરેશનની તારીખના 24 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો.

જો તમને લેબર ઇન્ડક્શનની જરૂર પડે

પ્રસુતિ પીડા શરુ કરાવવા માટે દાખલ થવાનાં 24 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો. તમે છેલ્લું ઇંજેક્શન ક્યારે લીધું હતું એની જાણ તમારી દાયણને કરો.

લેબરમાં

લોહીના ગંઠાઈ જવાના જોખમને ઓછું કરવા માટે, લોહીને પાતળું કરવાના ઈન્જેક્શન વિના રહેવાનો તમારો સમય ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. દાખલ થાઓ ત્યારે તમે છેલ્લું ઇન્જેક્શન કયા સમયે લીધું તે દાયણને જણાવો. પ્રસુતિ અને પ્રસુતિ પીડા શરુ કરાવવા દરમિયાન તમારી સાથે મેડિકલ અને એનેસ્થેટિક સામેલગીરી હશે. પ્રસુતિનાં ત્રીજા તબક્કાનાં એક્ટિવ મેનેજમેન્ટની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે વાંચો: જો પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) થાય, તો પ્રસુતિ ટીમના વરિષ્ઠ સભ્યો તેને તાત્કાલિક મેનેજ કરશે.

જો તમે લેબર દરમિયાન એપિડ્યુરલ વિશે વિચારી રહ્યાં છો

લોહી પાતળું કરવાના ઇન્જેક્શન અને એપિડ્યુરલ વચ્ચેનો સલામત સમયગાળો ઓછામાં ઓછો 24 કલાકનોછે. આ રક્તસ્રાવના જોખમને ઘટાડવા માટે કરવામાં આવે છે. તમારા છેલ્લાં ઇંજેક્શનનાં સમય વિશે સ્ટાફને માહિતી આપો.

જન્મ પછી

જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે ડોઝ ફરીથી શરૂ કરવામાં આવશે અને તે તમારા રક્તસ્રાવના જોખમ પર નિર્ભર રહેશે.

જન્મ પછી સારવારની અવધિ

જન્મ પછી ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી સારવાર ચાલુ રાખવી જોઈએ કારણ કે જન્મ પછી લોહી ગંઠાઈ જવાની સંભાવના સૌથી વધુ હોય છે. સારવારનો કુલ સમયગાળો ગર્ભાવસ્થા દરમિયાન સારવાર ક્યારે શરૂ કરવામાં આવી હતી તેના પર નિર્ભર રહેશે અને ઓછામાં ઓછા 3 મહિનાનો હોવો જોઈએ. તમે ઘરે જાઓ તે પહેલાં પ્રસુતિ ટીમ દવાના વિકલ્પો વિશે ચર્ચા કરશે. મૌખિક એન્ટિ-કોગ્યુલેશન દવા શરૂ કરવાનું વિચારી શકાય છે પરંતુ એ માટેનો સમયગાળો જન્મ પછી 5 દિવસ અથવા વધુ હોવો જોઈએ. જો તમે બોટલથી દૂધ પીવડાવતા હોય, તો સીધી મૌખિક એન્ટીકોએગ્યુલેશન દવા માત્ર એક વિકલ્પ છે. વોરફરીન અને LMWH સ્તનપાન કરાવતા સમયે લેવા માટે સલામત છે.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછીનું ફૉલો-અપ

આગામી ગર્ભાવસ્થા સહિત ભવિષ્ય માટે તમને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાત ડૉક્ટર સાથે તમારી ક્લિનિક એપોઇન્ટમેન્ટ ગોઠવવામાં આવશે.

પરિવાર નિયોજનની પદ્ધતિ નક્કી કરો

પ્રોજેસ્ટેરોન ઓન્લી પિલ (POP)/ઇમ્પ્લાન્ટ/ઇન્ટ્રાયુટેરિન ડિવાઈસ/અન્ય. વધુ માહિતી માટે અહીં જુઓ: આ પણ જુઓ: Contraceptive choices after you’ve had a baby

તાત્કાલિક ચિંતાજનક સ્થિતિ

તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો.

Deep vein thrombosis in pregnancy: Prevention

ગર્ભાવસ્થામાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ: નિવારણ

જો તમને કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન તમારૂં લોહી ગંઠાવાની ઘણી શક્યતા છે અને એ માટે તમને લોહી પાતળું કરવાનાં ઈન્જેક્શનનો પ્રિવેન્શન ડોઝ સૂચવવામાં આવ્યો છે, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ પણ વાંચો: પણ વાંચો:

તમારા માટે અને તમારી દેખભાળ કરતા સ્ટાફ માટે સલાહ

જો તમને લાગે કે પ્રસુતિ પીડા શરૂ થઈ ગયું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અથવા તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો છે.

તો એ પછી લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન ન લો અને તપાસ માટે તમારી પ્રસુતિ ટીમનો સંપર્ક કરો. લેબર વોર્ડમાં પ્રસુતિની સ્વયંસ્ફુરિત શરૂઆત સાથે યોનિમાર્ગથી બાળકને જન્મ આપવાનું લક્ષ્ય રાખો.

જો વૈકલ્પિક સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવે છે

આયોજિત ઑપરેશનની તારીખના 12 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો (છેલ્લી માત્રા એડમિશનની આગલી રાત્રે લગભગ 18.00 વાગ્યે હોવી જોઈએ).

જો તમને પ્રસુતિ પીડા કરાવાની જરૂર પડે

પ્રસુતિ પીડા કરાવાની માટે આયોજિત ઑપરેશનની તારીખના 12 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો (છેલ્લી માત્રા એડમિશનની આગલી રાત્રે લગભગ 18.00 વાગ્યે હોવી જોઈએ). દાખલ થતી વખતે, તમે છેલ્લું ઇંજેક્શન ક્યારે લીધું હતું એની જાણ તમારી દાયણને કરો.

લેબરમાં

લોહી ગંઠાવાના જોખમને ઓછું રાખવા માટે, લોહીને પાતળું કરવાના ઈન્જેક્શન વિના રહેવાનો તમારો સમય ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. પ્લેસેન્ટાની ડિલિવરી માટે એક્ટિવ મેનેજમેન્ટની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે અહીં જુઓ: જો પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) થાય, તો તેને મેટર્નિટી ટીમના વરિષ્ઠ સભ્યો દ્વારા તાત્કાલિક મેનેજ કરવામાં આવશે.

જો તમે પ્રસુતિ દરમિયાન એપિડ્યુરલ વિશે વિચારી રહ્યાં છો

લોહી પાતળું કરવાના ઇન્જેક્શન અને એપિડ્યુરલ વચ્ચેનો સલામત સમયગાળો ઓછામાં ઓછો 12 કલાકનો છે. આ રક્તસ્રાવના જોખમને ઘટાડવા માટે કરવામાં આવે છે.

જન્મ પછી

જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે ઇન્જેક્શન ફરીથી શરૂ કરવામાં આવશે અને તે તમારા રક્તસ્રાવના જોખમ પર નિર્ભર રહેશે.

જન્મ પછી દવાની અવધિ

લોહી પાતળું કરવાના ઇન્જેક્શન જન્મ પછી ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી   ચાલુ રાખવા જોઈએ કારણ કે જન્મ પછી લોહી ગંઠાઈ જવાની સંભાવના સૌથી વધુ હોય છે. સ્તનપાન કરાવતી વખતે લેવા માટે વોરફરીન અને LMWH સલામત છે. જન્મના 5 દિવસ પછી મૌખિક દવા લઈ શકાય છે. જો કે, જો તમે તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવી રહ્યા હોવ, તો ડાયરેક્ટ ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી એક વિકલ્પ છે.

પરિવાર નિયોજનની પદ્ધતિ નક્કી કરો

પ્રોજેસ્ટેરોન ઓન્લી પિલ (POP)/ઇમ્પ્લાન્ટ/ઇન્ટ્રાયુટેરિન ડિવાઈસ/અન્ય. વધુ માહિતી માટે અહીં જુઓ: આ પણ જુઓ: તમારા બાળકને જન્મ આપ્યા પછી ગર્ભનિરોધક પસંદગીઓ

તાત્કાલિક ચિંતાજનક સ્થિતિ

તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો.

Deep vein thrombosis in pregnancy

ગર્ભાવસ્થામાં ઊંડી નસ થ્રોમ્બોસિસ(લોહી ગંઠાઇ જવું)

Woman's hand holding her leg below the knee ગર્ભવતી હોવાને કારણે ઊંડી નસ થ્રોમ્બોસિસ(લોહી ગંઠાઇ જવું) (DVT) થવાનું જોખમ વધે છે, જેમાં સૌથી વધુ જોખમ તમારા બાળકને જન્મ આપ્યા પછી હોય છે. જો કે, ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના સહિત, તમારી ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સમયે DVT થઈ શકે છે.

સંકેત/લક્ષણો

  • ઘૂંટણની પાછળ અથવા જંઘામાં દુખાવો/માયા.
  • અસરગ્રસ્ત વિસ્તારમાં ગરમીની લાગણી અથવા ત્વચાનો લાલ રંગનો રંગ.
  • અસરગ્રસ્ત વિસ્તારની સોજો.
  • પલ્મોનરી એમબોલિઝમ શ્વાસની તકલીફ અને છાતીમાં દુખાવોનું કારણ બની શકે છે, જે અચાનક આવે છે અને ઊંડા શ્વાસ, ઉધરસ અથવા છાતીમાં હલનચલન સાથે વધુ ખરાબ હોય છે.
જો તમને આમાંના કોઈપણ લક્ષણો હોય તો તમારે તાત્કાલિક આરોગ્ય વ્યવસાયી સાથે વાત કરવી જોઈએ અથવા તમારા સ્થાનિક A&E વિભાગમાં હાજરી આપવી જોઈએ.

સારવાર

આ સમસ્યાઓ ગંભીર છે અને તેને દવાઓ સાથે હોસ્પિટલમાં તાત્કાલિક સારવારની જરૂર પડશે જે ગંઠાઈને મોટા થતા અને તૂટી જવાથી અને શરીરના બીજા ભાગમાં જતા અટકાવે છે.

નિવારણ

  • હરતું-ફરતું રાખો અને તમારી પગની ઘૂંટીઓ નિયમિતપણે ફેરવો.
  • જો તમારી દાયણ અથવા ડૉક્ટરે તમને આમ કરવાની સલાહ આપી હોય તો કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરો.
  • જ્યારે તમને એવું લાગે ત્યારે ટૂંકી ચાલ લેવાનું વિચારો.
  • સારી રીતે હાઇડ્રેટેડ રહો.
  • લાંબા સમય સુધી બેસવાનું/પડવાનું ટાળો, એટલે કે ગાડીમાં/ટ્રેનમાં.
ગર્ભાવસ્થા દરમિયાન તમારું જોખમ નિર્ધારણ કરવા માટે સ્ટાફ તમારી બુકિંગ એપોઇન્ટમેન્ટમાં વેનિસ થ્રોમ્બોએમ્બોલિઝમ રિસ્ક સ્કોરિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન કઈ પરિસ્થિતિઓ(સમસ્યા) DVTનું જોખમ વધારી શકે છે તે જાણવા માટે સંબંધિત લિંક્સ વાંચો.

Deep vein thrombosis (DVT) in pregnancy: Frequently asked questions

ગર્ભાવસ્થામાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT): વારંવાર પૂછાતા પ્રશ્નો

નિદાન કેવી રીતે થાય છે?

દાયણ સાથે તમારી પ્રારંભિક મુલાકાત વખતે, એ પછી સમયાંતરે ગર્ભાવસ્થા દરમિયાન અને તમારા બાળકના જન્મ પછી તમને વેનસ થ્રોમ્બોએમ્બોલિઝમ (DVT) થવાની વ્યક્તિગત સંભાવના ચકાસવા માટે ટેસ્ટ કરવામાં આવશે. ગર્ભાવસ્થા, પ્રસૂતિ અને જન્મ દરમિયાન તમામ મહિલાઓને હાઈડ્રેટેડ રહેવાની અને સતત હલનચલન કરતાં રહેવાની સલાહ આપવામાં આવે છે. DVT થવાની મધ્યમથી ઉચ્ચ સંભાવના ધરાવતી મહિલાઓને વધારાની સંભાળની ભલામણ કરવામાં આવી શકે છે. લેબર અને જન્મ દરમિયાન યોનિમાર્ગથી આસિસ્ટેડ જન્મ અથવા સિઝેરિયન જન્મ જેવા હસ્તક્ષેપને કારણે તમને DVT થવાની શક્યતા વધારે હોય છે.

આનો અર્થ શું છે?

મારા માટે

જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન DVT થવાની સંભાવના વધારે હોય છે તેમને આ સંભાવના ઘટાડવા માટે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન દવા લેવાની સલાહ આપવામાં આવે છે. આ દવા એ લોહીને પાતળું કરતી દવા (ઓછા પરમાણુ વજનવાળા હેપરિન) નું એવું દૈનિક ઇન્જેક્શન છે જેને તમે જાતે કઈ રીતે લઈ શકો તે શીખવવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમારા પાર્ટનર અથવા પરિવારના સભ્યને તમને ઈન્જેક્શન કેવી રીતે આપવું તે શીખવી શકાય છે. વધુમાં તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ હોવ, ત્યારે પહેરવા માટે તમને કમ્પ્રેશન સ્ટોકિંગ્સ આપવામાં આવી શકે છે.

મારા બાળક માટે

ઓછા પરમાણુ વજનવાળા હેપરિન ઇન્જેક્શન પ્લેસેન્ટાને પાર કરી શકતા નથી, તેથી તેના ઉપયોગથી તમારા બાળકને અસર નહીં થાય.

મારે કયા લક્ષણો અને ચિહ્નો પર ધ્યાન આપવું જોઈએ?

જો તમારા પગમાં સોજો અથવા દુખાવો થાય અથવા છાતીમાં દુખાવો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તમારે શક્ય તેટલી વહેલી તકે રિવ્યુ માટે મેટર્નિટી યુનિટમાં જવું જોઈએ.

આ મારી જન્મની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ઓછા મોલેક્યુલર વજનવાળા હેપરિનનો નિવારક ડોઝ લઈ રહ્યા હોવ, તો તમારા છેલ્લા ઈન્જેક્શન અને એપિડ્યુરલ (દર્દ નિવારક)ની વચ્ચે 12 કલાકનું અંતર હોવું જોઈએ, આથી જો તમારૂં લેબર શરૂ થઈ રહ્યું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અને એ સમયે તમારી દવાનો ડોઝ બાકી છે, તો કૃપા કરીને પહેલા તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે વાત કરો.

જન્મ પછીની દેખભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

DVT થવાની સંભાવના વધારે હોય તેવી મહિલાઓને તેમના બાળકના જન્મ પછી દસ દિવસ કે છ અઠવાડિયા સુધી ઓછા મોલેક્યુલર વેઈટ ઈન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

જો કોઈ કારણોસર તમને DVT થવાની સંભાવના વધી ગઈ હોય, તો ભવિષ્યની કોઈ પણ ગર્ભાવસ્થામાં તમને આ રોગ ફરી થવાની સંભાવના છે.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

Reducing the risk of venous thrombosis in pregnancy and after birth