Deep vein thrombosis in pregnancy: Prevention

ગર્ભાવસ્થામાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ: નિવારણ

જો તમને કહેવામાં આવ્યું છે કે ગર્ભાવસ્થા દરમિયાન તમારૂં લોહી ગંઠાવાની ઘણી શક્યતા છે અને એ માટે તમને લોહી પાતળું કરવાનાં ઈન્જેક્શનનો પ્રિવેન્શન ડોઝ સૂચવવામાં આવ્યો છે, તો અહીં તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. આ પણ વાંચો: પણ વાંચો:

તમારા માટે અને તમારી દેખભાળ કરતા સ્ટાફ માટે સલાહ

જો તમને લાગે કે પ્રસુતિ પીડા શરૂ થઈ ગયું છે અથવા તમારું પાણી તૂટી ગયું છે અથવા તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ થઈ રહ્યો છે.

તો એ પછી લોહી પાતળું કરવાનાં ઇન્જેક્શન ન લો અને તપાસ માટે તમારી પ્રસુતિ ટીમનો સંપર્ક કરો. લેબર વોર્ડમાં પ્રસુતિની સ્વયંસ્ફુરિત શરૂઆત સાથે યોનિમાર્ગથી બાળકને જન્મ આપવાનું લક્ષ્ય રાખો.

જો વૈકલ્પિક સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ આપવાનું નક્કી કરવામાં આવે છે

આયોજિત ઑપરેશનની તારીખના 12 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો (છેલ્લી માત્રા એડમિશનની આગલી રાત્રે લગભગ 18.00 વાગ્યે હોવી જોઈએ).

જો તમને પ્રસુતિ પીડા કરાવાની જરૂર પડે

પ્રસુતિ પીડા કરાવાની માટે આયોજિત ઑપરેશનની તારીખના 12 કલાક પહેલાં લોહી પાતળું કરવાના ઇન્જેક્શન લેવાનું બંધ કરો (છેલ્લી માત્રા એડમિશનની આગલી રાત્રે લગભગ 18.00 વાગ્યે હોવી જોઈએ). દાખલ થતી વખતે, તમે છેલ્લું ઇંજેક્શન ક્યારે લીધું હતું એની જાણ તમારી દાયણને કરો.

લેબરમાં

લોહી ગંઠાવાના જોખમને ઓછું રાખવા માટે, લોહીને પાતળું કરવાના ઈન્જેક્શન વિના રહેવાનો તમારો સમય ઘટાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. પ્લેસેન્ટાની ડિલિવરી માટે એક્ટિવ મેનેજમેન્ટની ભલામણ કરવામાં આવે છે. વધુ માહિતી માટે અહીં જુઓ: જો પોસ્ટપાર્ટમ હેમરેજ (PPH) થાય, તો તેને મેટર્નિટી ટીમના વરિષ્ઠ સભ્યો દ્વારા તાત્કાલિક મેનેજ કરવામાં આવશે.

જો તમે પ્રસુતિ દરમિયાન એપિડ્યુરલ વિશે વિચારી રહ્યાં છો

લોહી પાતળું કરવાના ઇન્જેક્શન અને એપિડ્યુરલ વચ્ચેનો સલામત સમયગાળો ઓછામાં ઓછો 12 કલાકનો છે. આ રક્તસ્રાવના જોખમને ઘટાડવા માટે કરવામાં આવે છે.

જન્મ પછી

જન્મ પછી શક્ય તેટલી વહેલી તકે ઇન્જેક્શન ફરીથી શરૂ કરવામાં આવશે અને તે તમારા રક્તસ્રાવના જોખમ પર નિર્ભર રહેશે.

જન્મ પછી દવાની અવધિ

લોહી પાતળું કરવાના ઇન્જેક્શન જન્મ પછી ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી   ચાલુ રાખવા જોઈએ કારણ કે જન્મ પછી લોહી ગંઠાઈ જવાની સંભાવના સૌથી વધુ હોય છે. સ્તનપાન કરાવતી વખતે લેવા માટે વોરફરીન અને LMWH સલામત છે. જન્મના 5 દિવસ પછી મૌખિક દવા લઈ શકાય છે. જો કે, જો તમે તમારા બાળકને બોટલથી દૂધ પીવડાવી રહ્યા હોવ, તો ડાયરેક્ટ ઓરલ એન્ટીકોએગ્યુલન્ટ થેરાપી એક વિકલ્પ છે.

પરિવાર નિયોજનની પદ્ધતિ નક્કી કરો

પ્રોજેસ્ટેરોન ઓન્લી પિલ (POP)/ઇમ્પ્લાન્ટ/ઇન્ટ્રાયુટેરિન ડિવાઈસ/અન્ય. વધુ માહિતી માટે અહીં જુઓ: આ પણ જુઓ: તમારા બાળકને જન્મ આપ્યા પછી ગર્ભનિરોધક પસંદગીઓ

તાત્કાલિક ચિંતાજનક સ્થિતિ

તમારા પ્રસુતિ યૂનિટનો સંપર્ક કરો.