GBSએ એક સામાન્ય સૂક્ષ્મ જંતુઓ હોય છે જેનું દર 10 મહિલાઓમાંથી 2-4 મહિલા યોનિ અને ગુદામાર્ગમાં વહન કરે છે. GBS વહન કરવું તમારા માટે હાનિકારક નથી, અને એમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. જીબીએસ પ્રસંગોપાત નવજાત બાળકોમાં ગંભીર ચેપનું કારણ બને છે, અને એ પણ ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પહેલા ખૂબ જ ભાગ્યે જ. GBS પેશાબ અથવા યોનિમાર્ગ/ગુદામાર્ગ માંથી રૂ માં લીધેલ નમૂનાનાં પરીક્ષણો દ્વારા શોધી શકાય છે. NHS નિયમિતપણે તમામ સગર્ભા મહિલા ઓનું GBS ટેસ્ટ કરતું નથી. જો કે, જો તે તમારી વર્તમાન અથવા પાછલી ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળ્યું હોય અથવા જો તમને ભૂતકાળમાં GBSનો ચેપ લાગ્યો હોય તો, તમારા નવજાત શિશુમાં ચેપનું જોખમ ઘટાડવા માટે તમને પ્રસૂતિ દરમિયાન નસમાં જીવાણુનાશક દવા આપવામાં આવશે.
ગ્રુપ બી સ્ટ્રેપ્ટોકોકસ (GBS) એક બેક્ટેરિયમ છે જે શરીરમાં રહે છે અને તમને કોઈ નુકસાન પહોંચાડતું નથી; પણ તે જન્મ સમયે બાળકને ગંભીર ચેપ લગાવી શકે છે. GBS 40% મહિલાઓની યોનિ અથવા ગુદામાર્ગમાં થાય છે. તે યોનિમાર્ગનાં અથવા રેક્ટલ સ્વેબ અથવા યુરિન ટેસ્ટમાં પણ મળી આવે છે. યુકેમાં GBS ના કેરેજ માટે હાલમાં કોઈ સ્ક્રીનીંગ પ્રોગ્રામ નથી.
આનો અર્થ શું છે?
મારા માટે:
જો તમને તમારી વર્તમાન ગર્ભાવસ્થામાં GBS છે એવું જણાય તો તમારા બાળકને જીબીએસ ચેપ લાગવાની શક્યતા ઓછી થાય તે માટે તમને પ્રસૂતિ દરમિયાન નસમાં એન્ટિબાયોટિક્સ લેવાની ભલામણ કરવામાં આવશે.જો ગર્ભાવસ્થા દરમિયાન તમારા પેશાબમાં GBS જોવા મળે, તો તમારે એન્ટિબાયોટિક સારવાર લેવી પડશે.
મારા બાળક માટે:
મોટા ભાગના બાળકો જે જન્મ દરમિયાન GBS ના સંપર્કમાં આવે છે તેઓ સ્વસ્થ હોય છે અને તેમને GBS ચેપ લાગતો નથી. જો બાળકમાં GBS ચેપના લક્ષણો દેખાય, તો તાત્કાલિક સારવારથી મોટા ભાગના બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે. જીબીએસનો ચેપ ભાગ્યે જ નવજાત શિશુનાં મૃત્યુ અથવા લાંબા ગાળાની વિકલાંગતાનું કારણ બની શકે છે.
મેડિકલ ટીમ શું સલાહ આપશે?
પ્રસૂતિ દરમિયાન તમારા માટે ઇન્ટ્રાવેનસ એન્ટિબાયોટિક પ્રોફીલેક્સિસ (IAP). જો જન્મ પછી તમારા બાળકને કોઈ સમસ્યા હોય, તો નિઓનેટલ ટીમ તેમને એન્ટિબાયોટિક્સ આપી શકે છે.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને જાણ છે કે તમે GBS ધરાવો છો, તો જ્યારે તમારું પાણી તૂટી જાય અથવા જો તમને નિયમિત પ્રસૂતિની પીડા થતી હોય ત્યારે તમારે તમારા પ્રસૂતિ યૂનિટને તરત જ જાણ કરવી જોઈએ.
જન્મ સમયે
જો તમારી ગર્ભાવસ્થા ટર્મ તરફ વધતી હોય, (37+0 અઠવાડિયા પછી) તો તમને લેબર શરૂ થાય અથવા તમારું પાણી તૂટી જાય, ત્યારે તરત જ IAP શરૂ કરી દેવું જોઈએ. જો પ્રસૂતિ પહેલાં તમારું પાણી તૂટી જાય, તો તમારા બાળકને GBS બેક્ટેરિયાનો ચેપ લાગતો રોકવા માટે પ્રસુતિ પીડા શરુ કરવાની સલાહ આપવામાં આવશે.
આનાથી મારા જન્મનાં વિકલ્પની પસંદગીને શું અસર થશે?
ઘરે અથવા અમુક દાયણ સંચાલિત એકમોમાં IAP ઉપલબ્ધ ન હોવાને લીધે જો તમે IAP લેવા માટે સંમત થાઓ છો, તો તમારે ઓબ્સ્ટ્રેટિક યૂનિટમાં લેબર અને જન્મ આપવાની તૈયારી કરવી પડી શકે છે.
જન્મ પછીની સંભાળ પર આ કેવી અસર કરી શકે છે?
તમારા બાળકના જન્મ પહેલાં તમે કેટલા સમય માટે IAP લો છો તેના આધારે, તમે ઘરે જઈ શકો તે પહેલાં તમારા બાળકને હોસ્પિટલમાં કેટલીક વધારાની દેખરેખની જરૂર પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
ભવિષ્યમાં ગર્ભાવસ્થા સમયે તમને પ્રસૂતિ વખતે ફરીથી IAP આપવામાં આવશે, અથવા જન્મનાં અપેક્ષિત સમયથી 3-5 અઠવાડિયા પહેલાં GBS કેરેજ માટે ટેસ્ટ કરવામાં આવશે.