Commonly used medicines during pregnancy

ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી દવાઓ

1. એનાલ્જેસિક (દર્દ નિવારક)

a) પેરાસિટામોલ (500mg ગોળીઓ)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? પેરાસિટામોલ એ ગર્ભાવસ્થામાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એક દર્દ નિવારક છે.પેરાસિટામોલ દર્દમાં રાહત અને ઊંચા તાપમાનને ઘટાડીને કામ કરે છે. તે હળવાથી મધ્યમ દુખાવામાં અસરકારક રાહત આપી શકે છે જેમાં માથાનો દુખાવો, દાંતનો દુખાવો, ગળામાં ખરાશ, સંધિવાના દુખાવા અને દર્દમાં રોગનિવારક રાહત, ઈન્ફલ્યુએન્ઝાના લક્ષણો અને તાવ સામેલ છે. હું તેને કેવી રીતે લઈ શકું? પેરાસિટામોલ નિયમિતપણે અથવા જ્યારે દર્દ માટે જરૂરી હોય ત્યારે લઈ શકાય છે. ડોઝ:12 વર્ષ કે તેથી વધુ ઉંમરના પુખ્ત વયના અને યુવાન વ્યક્તિઓ: જરૂરિયાત મુજબ, 2 ગોળીઓ દિવસમાં 4 વખત સુધી લો. ગોળીઓ પાણી સાથે લેવી જોઈએ. તમને લક્ષણમાં રાહત મેળવવા માટે જરૂરી હોય તેટલું જ લો અને દરેક ડોઝ વચ્ચે ઓછામાં ઓછા 4 કલાકનો સમય છોડો. 23 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. આડઅસરો શું છે? પેરાસિટામોલને સામાન્ય રીતે મોટાભાગના લોકોમાં સારી રીતે સહન કરવામાં આવે છે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? પેરાસિટામોલનો ઉપયોગ સામાન્ય રીતે સ્તનપાન દરમિયાન કરવામાં આવે છે.

b) કો-ડાયડ્રામોલ

તેનો ઉપયોગ શેના માટે થાય છે? કો-ડાયડ્રામોલ (10/500 10mg ડાયહાઇડ્રોકોડેઇન અને 500mg પેરાસિટામોલ) એ પેરાસિટામોલ અને ડાયહાઇડ્રોકોડેઇનનું મિશ્રણ છે. ડાયહાઇડ્રોકોડિન પેરાસિટામોલ કરતાં વધુ મજબૂત છે અને તેનો ઉપયોગ હળવાથી મધ્યમ દર્દમાં રાહત માટે કરવામાં આવે છે. હું તેને કેવી રીતે લઈ શકું? ડોઝ: યારેજરૂરી હોય ત્યારે કો-ડાયડ્રામોલની 1 થી 2 ગોળી દર 6 કલાકે, દિવસમાં વધુમાં વધુ 4 વખત. 24 કલાકમાં 8 થી વધુ ગોળીઓ ન લો. અમે ભલામણ કરીએ છીએ કે તમે દર્દ નિવારક ઓછી કરો અને પેરાસિટામોલની જગ્યાએ શક્ય તેટલી વહેલી તકે આ ગોળીઓને બદલી દો જે સામાન્ય રીતે 3-4 દિવસ પછી હોય છે. આ ગોળીઓમાં પેરાસિટામોલ હોવાથી તમારે એક જ સમયે અન્ય પેરાસિટામોલની ગોળીઓ લેવી જોઈએ નહીં. કો-ડાયડ્રામોલ લેતી વખતે આલ્કોહોલનું સેવન ન કરો. આડઅસરો શું છે? ડાયહાઇડ્રોકોડેઇનની સૌથી સામાન્ય આડઅસર સુસ્તી, કબજિયાત, બીમાર જેવો અનુભવ કરવો અથવા મોં સુકાવું છે. જો તમે કૉ-ડાયડ્રામોલ લેતી વખતે કબજિયાત અનુભવો છો તો તમને હળવા રેચક લેવાની સલાહ આપવામાં આવી શકે છે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ કરવો સુરક્ષિત છે? ગર્ભાવસ્થા દરમિયાન જ્યાં પેરાસિટામોલ અસરકારક ન હોય ત્યાં ડાયહાઇડ્રોકોડેઈનનો ઉપયોગ દર્દ નિવારક તરીકે વાજબી ગણી શકાય છે.ઓછામાં ઓછા સમય માટે ન્યૂનતમ અસરકારક ડોઝનો ઉપયોગ કરો. જો તમે ગર્ભાવસ્થા દરમિયાન ડાયહાઈડ્રોકોડેઈનનાં ઉપયોગ અંગે કોઈ વધુ માહિતી મેળવવા માંગતા હોવ, તો કૃપા કરીને તમારા દાયણ/ડૉક્ટર સાથે તેની ચર્ચા કરો.

2. ફેરસ સલ્ફેટ (આયર્ન પૂરક)

તેનો ઉપયોગ શેના માટે થાય છે? આયર્ન પૂરકનો ઉપયોગ આયર્નની ઉણપથી થતાં એનિમિયાની સારવાર માટે કરવામાં આવે છે. જ્યારે શરીરને પૂરતું આયર્ન મળતું નથી, ત્યારે તે તમારા સ્વાસ્થ્યને સારું રાખવા માટે જરૂરી સામાન્ય લાલ રક્ત કણોની સંખ્યા ઉત્પન્ન કરી શકતું નથી. જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા જેમણે હમણાં જ જન્મ આપ્યો છે,તેમના માટે આ સ્થિતિ સામાન્ય છે. આ દવાઓ શરીરના આયર્નની જગ્યાએ કામ કરે છે. આયર્ન એ એક ખનિજ છે જે શરીરને લાલ રક્ત કણો બનાવવા માટે જરૂરી છે. મારે તે કેવી રીતે લેવું જોઈએ? ગોળીઓને પાણી સાથે ગળી લો. જો કે આયર્નની બનાવટો ખાલી પેટ શ્રેષ્ઠ રીતે શોષાય છે, તેમ છતાં પેટ પરની અસરો ઘટાડવા માટે તેને ખોરાક પછી લઈ શકાય છે. નીચેના ઉત્પાદનોને ખાધા કે પીધા પહેલાના એક કલાકની અંદર અથવા પછીના બે કલાકની અંદર આયર્ન પૂરક ન લેવા જોઈએ: ચા, કોફી, દૂધ, ઈંડા અને આખા અનાજ. આ ઉત્પાદનો આયર્નનું શોષણ ઘટાડી શકે છે. ડોઝ: ફેરસ સલ્ફેટ 200mg ગોળીઓ. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની સારવાર: 1 ગોળી દિવસમાં 2-3 વખત. આયર્નની ઉણપના લીધે થતાં એનિમિયાની રોકથામ: દરરોજ 1 ગોળી. આડઅસરો શું છે? બધી દવાઓની જેમ, ફેરસ સલ્ફેટની ગોળીઓ પણ આડઅસરો પેદા કરી શકે છે, જેમાંથી સૌથી સામાન્ય છે કબજિયાત,ઝાડા, પેટમાં દુખાવો, માંદગી જેવો અનુભવ અને કાળો મળ (મળ). શું સ્તનપાન દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? ગર્ભાવસ્થા દરમિયાન ફેરસ સલ્ફેટ ગોળીઓ સામાન્ય રીતે સલામત રીતે ઉપયોગમાં લેવાય છે. ખાતરી કરો કે તમે ભલામણ કરેલ ડોઝ કરતા વધુ નથી લેતા. જો તમે ફેરસ સલ્ફેટની ગોળીઓ સહન કરી શકતા નથી, તો ફેરસ ફ્યુમરેટ નામનો એક વિકલ્પ ઉપલબ્ધ છે. આ પ્રવાહી અથવા ગોળીઓના રૂપમાં ઉપલબ્ધ છે. આડઅસર અને સલામતીની માહિતી ઉપર દર્શાવેલ ફેરસ સલ્ફેટ જેમ જ લાગુ પડે છે.

3. રેચક

તેનો ઉપયોગ શેના માટે થાય છે? રેચકનો ઉપયોગ કબજિયાતની સારવાર માટે થાય છે.ગર્ભવતી મહિલાઓ કબજિયાત અનુભવી શકે છે, જેના લીધે ખૂબ જ અસ્વસ્થતા થઈ શકે છે. આનું કારણ એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન થતાં હોર્મોનલ ફેરફારોથી સમગ્ર પાચનતંત્ર પ્રભાવિત થાય છે. બિનજરૂરી અગવડતા ટાળવા માટે ગર્ભવતી સ્ત્રીઓએ તેમના આહાર પર ધ્યાન રાખવું અને નિયમિત નાક ત્યાગની ટેવ જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. કબજિયાત થતી રોકવા માટે હું બીજું શું કરી શકું? નીચેના સંકેતો નિયમિત મળ ત્યાગ જાળવવામાં મદદરૂપ થાય છે:
  • ફાઇબર યુક્ત ખોરાક લો, દા.ત. આખા અનાજની રોટલી, ફળ અને શાકભાજી.
  • પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીવો, વિશેષતઃ પાણી.
  • નિયમિત કસરત કરો.
ગર્ભાવસ્થા દરમિયાન રેચક દવાઓ સૂચવવામાં આવી શકે છે. જો તમને લાગે કે તમારે રેચકની જરૂર છે તો તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે ચર્ચા કરો. તમે ખરીદી શકો તે તમામ રેચક ગર્ભાવસ્થામાં ઉપયોગ માટે યોગ્ય નથી. આડ અસરો શું છે? રેચકની સામાન્ય આડઅસરોમાં સોજો, વધેલી હવા (ગેસ) અને પેટના હળવા દુખાવાનો સમાવેશ થાય છે. ગર્ભાવસ્થામાં/જન્મ પછી સામાન્ય રીતે વપરાતા રેચક:

a) લેક્ટ્યુલોઝ

લેક્ટ્યુલોઝ એક પ્રવાહી રેચક છે જેનો ઉપયોગ કબજિયાતની સારવાર અને રોકથામ માટે કરવામાં આવે છે. લેક્ટ્યુલોઝની અસર હવામાં 2-3 દિવસ લાગી શકે છે; તેને સામાન્ય રીતે હળવા રેચક તરીકે ગણવામાં આવે છે. ડોઝ: સામાન્ય રીતે 10 મિલી દિવસમાં બે વાર. અસર કરવા માટે તેને નિયમિતપણે લેવું આવશ્યક છે.

b) ફાયબોજેલ (ઇસબગોલ ભૂકી)

ફાયબોજેલ એ એક ઉચ્ચ ફાઈબર પીણું છે જે તમારા આહારમાં ફાઈબર વધારવાનું કામ કરે છે. આહારમાં વધેલા ફાઇબર કબજિયાતને હળવાશથી દૂર કરવામાં મદદ કરે છે. ફાયબોજેલને હળવા રેચક માનવામાં આવે છે. ફાયબોજેલનો ઉપયોગ કરતી વખતે પ્રવાહીનું પૂરતું સેવન જાળવવું મહત્વપૂર્ણ છે. ડોઝ: સામાન્ય ડોઝ એ એક ગ્લાસ પાણીમાં મિશ્રિત એક પાઉચ છે, દિવસમાં બે વાર સુધી. શું ગર્ભાવસ્થા દરમિયાન લેક્ટ્યુલોઝ અથવા ફાયબોજેલનો ઉપયોગ કરવો એ સુરક્ષિત છે? લેક્ટ્યુલોઝ અને ફાયબોજેલ લોહીમાં શોષાતા નથી અને માત્ર આંતરડા પર સ્થાનિક અસર કરે છે. બંને દવાઓનો ઉપયોગ સામાન્ય રીતે દાયણ અથવા ડૉક્ટરની સલાહ હેઠળ, ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન સલામત માનવામાં આવે છે.

4. લોહીના ગંઠાઈ જવાનું નિવારણ

ઈનોક્સાપેરીન (જેને ક્લેક્સેન તરીકે પણ ઓળખવામાં આવે છે) નો ઉપયોગ લોહીના ગઠ્ઠાને રોકવા માટે થાય છે. લોહીના ગઠ્ઠા સામાન્ય રીતે પગની નસમાં ડીપ વેઈન થ્રોમ્બોસિસ (DVT) તરીકે અથવા ફેફસામાં પલ્મોનરી એમબોલિઝમ (PE), લોહીના ગઠ્ઠા તરીકે હાજર હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન લોહીના ગંઠાવાનું વધુ સામાન્ય હોય છે અને કેટલીક મહિલાઓ અન્યની તુલનામાં લોહીના ગંઠાવાનું જોખમ વધુ હોય છે.લોહીના ગંઠાવા માટેના તમારા જોખમી પરિબળોનું મૂલ્યાંકન તમારી બુકિંગ એપોઇન્ટમેન્ટ પર અને જો તમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે કરવામાં આવશે.નિવારણની સાથે સાથે, DVT અને PEની સારવાર માટે પણ ઈનોક્સાપેરિનના ઉચ્ચ ડોઝનો ઉપયોગ થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન ઈનોક્સાપેરીનનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? પ્રસૂતિ પહેલાના સમયગાળા દરમિયાન, તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત DVT/PE વિકસિત કરવાના તમારા જોખમનું મૂલ્યાંકન કરશે. તેઓ તમારા પાછલા ઇતિહાસ (પૂર્વ-હકીકત) અને અસ્તિત્વમાં હોઈ શકે તેવા અન્ય જોખમી પરિબળોને જોશે. તે પછી તમારા પ્રસૂતિ નિષ્ણાત તમને ગર્ભાવસ્થા દરમિયાન ઈનોક્સાપેરિનની જરૂર છે કે કેમ અને તમારે જે ડોઝ લેવાનો છે તે નક્કી કરશે. શું ગર્ભાવસ્થા દરમિયાન તેનો ઉપયોગ સુરક્ષિત છે? ઈનોક્સાપેરીન ત્વચાની તરત જ નીચે (સબક્યુટેનીયસ (ચામડીની નીચે)) એક ઇન્જેક્શન તરીકે આપવામાં આવે છે. તેને સામાન્ય રીતે તમારા પેટ (પેટ) અથવા તમારી જાંઘના ઉપરના ભાગમાં ચામડીના પડમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. જો આ યોગ્ય ન હોય, તો તમને બીજી કોઈ વૈકલ્પિક જગ્યા પર ઈંજેક્ટ કરવાની સલાહ આપવામાં આવી શકે છે. તેને તમારા સ્નાયુઓમાં ઇન્જેક્ટ ન કરવું જોઈએ. તે દિવસમાં એક કે બે વાર આપી શકાય છે. તમારે તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરેલ સમયે ડોઝ લેવો જોઈએ. ઈનોક્સાપેરીન (ક્લેક્સેન)ને કેવી રીતે ઈંજેક્ટ કરવું? એકવાર જ્યારે તમને તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા આવું કેવી રીતે કરવું તે બતાવવામાં આવ્યા પછી, અથવા ડિસ્ચાર્જ થતી વખતે તમને આપવામાં આવતી સૂચના પત્રિકાને અનુસરીને તમે ઈનોક્સાપેરીનઈંજેક્ટ કરવામાં સક્ષમ હશો. આ એક સરળ પ્રક્રિયા છે અને તમે તેને ઘરે જ કરી શકો છો. આ પગલાઓનું પાલન કરો:
  • તમારા હાથને ધોવો અને કોરા કરો.
  • ઈન્જેક્શન સાઇટ (ઈંજેકશન આપવાની જગ્યા)ને સાફ કરો. જો કોઈ અન્ય તમારા માટે તે કરી રહ્યું હોય તો તેવી સલાહ આપવામાં આવે છે કે તેઓ મોજા પહેરે.
  • ઈન્જેક્શનની જગ્યા તમારી ડાબી કે જમણી જાંઘ અથવા તમારા પેટની બહારની બાજુએ પસંદ કરો, જો આમ કરવાની સલાહ આપવામાં આવી હોય તો. તમે દર વખતે જગ્યા બદલો તે મહત્વનું છે. જો ઈન્જેક્શન સાઇટ પર લોહી નીકળતું હોય તો હળવું દબાણ આપો. ઘસશો નહીં કારણકે આનાથી ઉઝરડા પડી શકે છે.
  • સિરીંજનેઆપવામાં આવેલા પીળા ધારવાળા બોક્સમાં ફેંકી દો. આ બોક્સને અન્ય લોકોની પહોંચથી દૂર રાખવું જોઈએ.
ચેલ્સિયા અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાર્માસિસ્ટ દ્વારા નિર્મિત અને પરવાનગી સાથે ઉપયોગમાં લેવાય છે.