ગર્ભાવસ્થામાં સામાન્ય વજનમાં વધારો 10-12.5 kg (22-28lb) ની વચ્ચે હોય છે. તમારા સગર્ભાવસ્થા પહેલાંનાં વજનનો ઉપયોગ કરીને નીચેના BMI કેલ્ક્યુલેટર વડે તમારા BMI (શારીરિક વજનનાં આંક) ની ગણતરી કરો. જો તમે તમારી ગર્ભાવસ્થાની શરૂઆત ઉચ્ચ BMI (35 થી વધુ) અથવા નીચા BMI (18 કે તેથી ઓછા) સાથે કરો છો, તો તમારી દાયણ અથવા GP તમને વજન વધારવા અથવા ઘટાડવા વિશે વિશેષ આહાર સલાહ આપી શકે છે.
જ્યારે ગર્ભવતી હોવ ત્યારે ગેરકાયદેસર અથવા શેરી દવાઓનો ઉપયોગ તમને અને તમારા બાળકને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. જો તમે (અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ) આવી દવાઓનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તરત જ મદદ લેવી મહત્વપૂર્ણ છે. તમે તમારી દાયણ, GP અથવા ઉપલબ્ધ કોઈપણ નિષ્ણાત સારવાર સેવાઓ સાથે વાત કરી શકો છો.24 કલાક તાત્કાલિક મદદ અને સમર્થન માટે આ સલાહ લાઇનનો સંપર્ક કરો:FRANK:Tel: 0300 123 600Text: 82111
ધૂમ્રપાન કરવું અને નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લેવો એ તમારા અને તમારા અજાત બાળક માટે અત્યંત હાનિકારક છે.એક સિગારેટમાં 4,000 જેટલા રસાયણો હોય છે જે તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા અજાત બાળક સુધી જાય છે. દિવસમાં ફ્ક્ત એક જેટલું ઓછું ધૂમ્રપાન કરવાથી પણ સગર્ભાવસ્થા અને બાળજન્મમાં જટિલતાઓનું જોખમ વધી શકે છે. જ્યારે તમે સગર્ભા હો ત્યારે શક્ય તેટલી વહેલી તકે ધૂમ્રપાન છોડવાથી આ સામે રક્ષણ મળી શકે છે:
જન્મ સમયે ઓછું વજન
પૂર્વ-અવધિ જન્મ
કસુવાવડ
મૃત્યુ
સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS)/પારણાંમાં મૃત્યુ
જન્મ
આધાર
ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકારની મદદથી તમારી ધૂમ્રપાન છોડવાની શક્યતા વધારે છે. ગર્ભાવસ્થા એ સારા માટે ધૂમ્રપાન છોડવાનો આદર્શ સમય છે. તમારી દાયણ અથવા GP તમને સ્થાનિક ધૂમ્રપાન બંધ કરવાની સેવાઓનો સંદર્ભ આપી શકે છે અથવા તમે 0300 123 1044 પર NHS ધૂમ્રપાન હેલ્પલાઇન દ્વારા સ્વ-સંદર્ભ મેળવી શકો છો. તમને ધૂમ્રપાન બંધ કરવા માટેનો સહકાર તમે ક્યાં રહો છો તેના પર અને તમારી વ્યક્તિગત પસંદગીઓ પર આધાર રાખે છે. ધૂમ્રપાન બંધ કરો સેવાઓ સામાન્ય રીતે આપે છે:
સાપ્તાહિક સમર્થન કાં તો રૂબરૂ, ફોન પર અથવા ઑનલાઇન
ધૂમ્રપાન બંધ કરવામાં મદદ કરવા પ્રિસ્ક્રિપ્શન પર અથવા મફત દવા
મોટાભાગની નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ગર્ભાવસ્થામાં વાપરવા માટે સલામત છે. તમારા ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર તમને સગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા માટે યોગ્ય પદ્ધતિ શોધવામાં તમને મદદ કરવા સક્ષમ હોવા જોઈએ.
ઈ-સિગારેટ
જોખમ મુક્ત ન હોવા છતાં, ઈ-સિગારેટ ધૂમ્રપાનના જોખમનો એક નાનો ભાગ ધરાવે છે. જો ઈ-સિગારેટ અથવા ‘વેપિંગ’નો ઉપયોગ તમને ધૂમ્રપાન મુક્ત રહેવામાં મદદ કરે છે, તો તે તમારા અને તમારા બાળક માટે ધૂમ્રપાન કરવાનું ચાલુ રાખવા કરતાં ઘણું વધુ સુરક્ષિત છે. જો તમે ઈ-સિગારેટનો ઉપયોગ કરવા માંગતા હો, તો પણ તમે નિષ્ણાત ધૂમ્રપાન બંધ કરાવનાર સલાહકાર પાસેથી મફત નિષ્ણાતની મદદ મેળવી શકો છો.
કાર્બન મોનોક્સાઇડ સ્ક્રીનીંગ
કાર્બન મોનોક્સાઇડ પરીક્ષણ તમામ મહિલાઓને નોંધણી વખતે અને ફરીથી ગર્ભાવસ્થાના 36 અઠવાડિયામાં આપવામાં આવે છે. કાર્બન મોનોક્સાઇડ એ એક ઝેરી ગેસ છે જે તમારા ફેફસામાં જાય છે જ્યારે તમે ધૂમ્રપાન કરો છો અથવા કોઈ અન્યની સિગારેટનો નિષ્ક્રિય ધુમાડો શ્વાસમાં લો છો. જો બોઈલર, કૂકર અથવા કાર એક્ઝોસ્ટ ખામીયુક્ત હોય તો તે પણ શોધી શકાય છે. ઘરગથ્થુ ગેસ ઉપકરણોની નિયમિત તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. મફત આરોગ્ય અને સલામતી ગેસ સલાહ 0800 300 363 (સોમવારથી શુક્રવાર) પર ઉપલબ્ધ છે. ધુમ્રપાન અને કાર્બન મોનોક્સાઇડ વિશે વધુ માહિતી માટે નીચેની લિંક્સ વાંચો.
ગર્ભાવસ્થામાં પુષ્કળ ફળો, શાકભાજી, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને દુધની બનાવટ સહિત તંદુરસ્ત વૈવિધ્યસભર આહારની ભલામણ કરવામાં આવે છે.તમારે બે માટે ખાવાની જરૂર નથી, પરંતુ તમારે નિયમિત તંદુરસ્ત નાસ્તો લેવાની જરૂર પડી શકે છે કારણ કે તમારું શરીર વધતા બાળકને ટેકો આપવાનું કામ કરે છે. એવા કેટલાક ખોરાક છે જે તમારે ગર્ભાવસ્થા દરમિયાન ટાળવા જોઈએ કારણ કે તે તમને અસ્વસ્થ કરી શકે છે અથવા તમારા બાળકને નુકસાન પહોંચાડી શકે છે. નવા પુરાવાઓ અથવા સંશોધનો મળ્યા હોવાથી કયા ખોરાકને ટાળવો જોઈએ તેનું માર્ગદર્શન બદલાઈ શકે છે.જો તમે શાકાહારી હોવ તો તમારા લોહતત્વના સ્તરને વધારે હોય તેવો ખોરાક ખાવો મહત્વપૂર્ણ છે, જેમ કે બ્રાઉન બ્રેડ, કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજી.દુધની બનાવટનો ખોરાક, અથવા ફોર્ટિફાઇડ દુધની બનાવટનાં વિકલ્પો એ પ્રોટીન, વિટામિન B12, કેલ્શિયમ અને ઝીંકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
ગર્ભાવસ્થા દરમિયાન ટાળવા લાયક ખોરાક અને પીણાં
મોરિંગાની ચા, રક્ત શુદ્ધિકરણ અને કચરાનાં ઉત્સર્જન માટે વિવિધ સંસ્કૃતિઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, તેમાં મોરિંગાના મૂળ, છાલ અને ફૂલોમાંથી ખતરનાક રસાયણો હોય છે જે ગર્ભાશયને અકાળે (ખૂબ વહેલું) સંકુચિત કરી શકે છે.ચાઈ નામની ચા માં રહેલા કેટલાક મસાલા ગર્ભાવસ્થામાં હાનિકારક હોઈ શકે છે. લવિંગનું વધુ પડતું સેવનથી વાઈનાં હુમલા અને આંતરડાનાંરક્તસ્રાવ તરફ દોરી શકે છે. કેમોલી કસુવાવડનું કારણ બની શકે છે. ક્વિનાઇન, જે ભારતીય શક્તિવર્ધક ઔષધ પાણીમાં જોવા મળે છે, જે પરંપરાગત રીતે પગમાં ખેંચાણ અને મેલેરિયાની સારવાર માટે વપરાય છે, તે જન્મજાત ખામીઓનું કારણ બની શકે છે.કેરેબિયન ગિનીસ અને પીનટ પંચ જેવા પોષણયુક્ત પીણાં ગર્ભવતી/સ્તનપાન કરાવતી માતાઓ માટે યોગ્ય નથી. આ પીણાંમાં ફોર્ટિફાઇડ વિટામિન્સ અને ખનિજો હોય છે જે દૈનિક ભલામણ કરેલ સેવન મૂલ્યો કરતાં વધી શકે છે.લીવર અજાત બાળકની આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને તેનો વધુ ઉપયોગ કસુવાવડ, અકાળ પ્રસૂતિ અને ગંભીર ખરજવું તરફ દોરી શકે છે. લીવર પરંપરાગત રીતે મરીના સૂપમાં વપરાય છે.મીઠી ભાત, કેટલીક સંસ્કૃતિઓમાં પરંપરાગત વાનગી તરીકે બનાવવામાં આવે છે, જે સગર્ભાવસ્થાનાં ડાયાબિટીસ તરફ દોરી શકે છે. આના જેવી મીઠી વાનગીઓ સંયમિત રીતે ખાવી જોઈએ.લાલ માંસ અને સંતૃપ્ત ચરબીયુક્ત ખોરાક, પ્લેટલેટ્સની ઉત્પત્તિ ઘટાડી શકે છે, જે થ્રોમ્બોસાયટોપેનિયા તરીકે ઓળખાતી સ્થિતિ તરફ દોરી જાય છે.
અજાત બાળક માટે દારૂનું સેવન કઈ બાબતો જોખમી બની જાય છે તે અજ્ઞાત છે. દારૂની અસરો સામે રક્ષણ મેળવવાનો સૌથી સલામત રસ્તો એ છે કે તેને સંપૂર્ણપણે ટાળવું. જે માતાઓ ગર્ભવતી હોય ત્યારે વધુ પડતો દારૂ પીતી હોય, તે માતાઓથી જન્મેલા બાળકો ફેટલ આલ્કોહોલ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર તરીકે ઓળખાતી વિકૃતિઓથી પ્રભાવિત થઈ શકે છે. જો તમને ગર્ભાવસ્થા દરમિયાન દારૂ વિશે ચિંતા હોય તો તમારી દાયણ અથવા GP સાથે વાત કરો.