પ્રસૂતિ દરમિયાન, તમારી દાયણ તમારા બાળકના હૃદયના ધબકારા સાંભળશે અને તેની સુખાકારી તપાસશે અને ખાતરી કરશે કે તે પ્રસૂતિનો સારી રીતે સામનો કરી રહ્યોહ્યું છે.તમારી દાયણ આને તપાસી શકે તેવી ત્રણ અલગ-અલગ રીતો છે, તેમાંથી એકનો ઉપયોગ કરીને:
હાથથી પકડેલું મશીન
પિનાર્ડ સ્ટેથોસ્કોપ; અથવા
સતત ઇલેક્ટ્રોનિક ગર્ભ દેખરેખ.
જો તમારી સામાન્ય અને સ્વસ્થ ગર્ભાવસ્થા હોય, અને 37 અઠવાડિયા પછી તમારી પ્રસૂતિ કુદરતી રીતે શરૂ થઈ હોય, તો તમને સામાન્ય રીતે નાના હાથથી પકડેલા મશીનનો ઉપયોગ કરીને મોનિટરિંગની ઑફર કરવામાં આવશે જે તમારા બાળકના ધબકારાનો અવાજ ઉત્પન્ન કરે છે. આ એ જ મશીન છે જેનો ઉપયોગ તમારી દાયણ/ડૉક્ટર ગર્ભાવસ્થા દરમિયાન તમારા બાળકના ધબકારા સાંભળવા માટે કરતા હતા.તમારી દાયણ તમારા બાળકના ધબકારા સમયાંતરે અને નિયમિતપણે પ્રસૂતિ દરમિયાન સાંભળશે. તમારી મિડવાઇફ પિનાર્ડ સ્ટેથોસ્કોપ વડે તમારા બાળકના ધબકારા સાંભળવાની માંગણી કરી શકે છે. પરંપરાગત સ્ટેથોસ્કોપની જેમ તમે હૃદયના ધબકારા સાંભળી શકશો નહીં પરંતુ દાયણ તેને સ્પષ્ટ રીતે સાંભળશે.સતત ઈલેક્ટ્રોનિક ફેટલ મોનિટરિંગ (કેટલીકવાર તેને CTG પણ કહેવાય છે) એ એક મશીન છે જેનો ઉપયોગ તમારા બાળકના ધબકારા અને તમારા ગર્ભાશયના સંકોચનને પ્રસૂતિ દરમ્યાન સતત રેકોર્ડ કરવા માટે થાય છે. જો તમને સગર્ભાવસ્થા અથવા પ્રસૂતિ દરમિયાન કોઈ જટિલતાઓ આવી હોય અને જો તમે પીડા રાહત માટે એપિડ્યુરલનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમને આ પ્રકારનું નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. દાયણો અને/અથવા ડોકટરો આ રેકોર્ડિંગને સમગ્ર પ્રસૂતિ દરમિયાન નિયમિતપણે જોશે. મોનિટરને સ્થાને રાખવા માટે તમારે તમારા પેટની આસપાસ બે બેલ્ટ (પટ્ટા) પહેરવાની જરૂર પડશે. કેટલાક એકમોમાં વાયરલેસ મશીન ઉપલબ્ધ હોઈ શકે છે (આને ટેલિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે), જેનો અર્થ છે કે તમે વધુ મુક્તપણે હરવા-ફરવા માટે સક્ષમ હશો.પ્રસૂતિમાં જતા પહેલા દેખરેખની વિવિધ પદ્ધતિઓના ફાયદાઓની ચર્ચા કરવી મદદરૂપ થાય છે. દાયણ અથવા ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ પદ્ધતિ પ્રસૂતિની શરૂઆતમાં તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય પર નિર્ભર રહેશે.જો તમારી દાયણો અથવા ડૉકટરો પ્રસૂતિ દરમિયાન તમારા બાળકના ધબકારા વિશે ચિંતિત હોય તો વધારાની દેખરેખની ભલામણ કરવામાં આવી શકે છે, આ બેમાંથી એક હોઈ શકે છે:
ફેટલ સ્કૅલ્પ ઇલેક્ટ્રોડ (FSE) જે તમારા બાળકના માથા સાથે સીધું જોડાયેલ છે
ગર્ભ રક્ત નમૂના (FBS). આ પરીક્ષણમાં તમારા બાળકના માથામાંથી લોહીનો ખૂબ જ નાનો નમૂનો લેવાનો સમાવેશ થાય છે જેથી તે તપાસ કરી શકાય કે તેઓ કેવી રીતે આ પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે.
મોલર ગર્ભાવસ્થાને હાઇડેટીડી ફોર્મ મોલ અથવા જેસ્ટેશનલ ટ્રોફોબ્લાસ્ટિક ડીસીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોલર ગર્ભાવસ્થામાં પ્લેસેન્ટાના કોષો અસામાન્ય રીતે વિકસે છે. મોલર ગર્ભાવસ્થા રંગસૂત્રોની સંખ્યામાં અસંતુલનના પરિણામે અનિયમિત રીતે થાય છે. આ અસંતુલનને કારણે સ્વસ્થ ગર્ભાવસ્થાનો વિકાસ શક્ય નથી. મોલર ગર્ભાવસ્થાના બે પ્રકાર છે.
1. આંશિક મોલ
આ તે છે જ્યાં બે શુક્રાણુઓએ એક ઇંડાને ફળદ્રુપ બનાવ્યું છે અને સામાન્ય બેને બદલે રંગ સૂત્રોના ત્રણ સેટ છે.
2. સંપૂર્ણ મોલ
આ તે છે જ્યાં એક શુક્રાણુ (અથવા ક્યારેક બે) એક ખાલી ઇંડાને ફળદ્રુપ કરે છે (જેમાં કોઈ આનુવંશિક દ્રવ્ય નથી).
તેનુંનિદાનકેવીરીતેકરવામાં આવે છે?
મોલર ગર્ભાવસ્થાનું નિદાન મોટા ભાગે કસુવાવડ પછી કરવામાં આવે છે, જ્યારે ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને હોસ્પિટલની પ્રયોગશાળા દ્વારા માઇક્રો સ્કોપમાં જોવામાં આવે છે. ગર્ભાવસ્થા આંશિક અને પૂર્ણ મોલર ગર્ભાવસ્થા હતી કે કેમ તે નિર્ધારિત કરવા માટે પ્રયોગશાળા દ્વારા ચોક્કસ માપદંડોનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વાર અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર આ નિદાનની શંકા હોઈ શકે છે પરંતુ તેની પુષ્ટિ માઇક્રોસ્કોપમાં વિસ્તૃત તપાસ પછી જ કરી શકાય છે.
આગળ શું થાય છે?
જ્યારે મોલર ગર્ભાવસ્થાની શંકા હોય, ત્યારે ગર્ભાશયમાંથી ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને દૂર કરવા માટે એક ઓપરેશનની જરૂર પડશે, કારણ કે આ સ્વસ્થ ગર્ભાવસ્થા નથી. આ ઓપરેશન સામાન્ય રીતે જનરલ એનેસ્થેટિકની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને તેમાં ગર્ભને દૂર કરવા માટે એક નાની સક્શન ટ્યુબનો સમાવેશ થાય છે જેને યોનિ અને સર્વિક્સ (તમારા ગર્ભાશયની ગરદન) માંથી પસાર કરવામાં આવે છે. ગર્ભાવસ્થાના ટીસ્યુ (કોષો)ને વિસ્તૃત મૂલ્યાંકન માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે.જો મોલર ગર્ભાવસ્થાની પુષ્ટિ થાય, તો ગર્ભાવસ્થા હોર્મોન (βHCG) નેગેટિવ લેવલ સુધી ઘટ્યા છે તેની પુષ્ટિ કરવા માટે તમારે સતત બ્લડ ટેસ્ટની જરૂર પડશે. આ અગત્યનું છે કારણ કે એકનાનું જોખમ છે કે કેટલાક અસામાન્ય ગર્ભાવસ્થા કોષો મોલર ગર્ભાવસ્થાનાવધુ ગંભીર સ્વરૂપમાં વિકસી શકે છે (નીચે જુઓ).તમને તમારી સૌથી નજીકના ઉચ્ચ નિષ્ણાત કેન્દ્રમાં મોકલવામાં આવશે, જે લંડન, શેફિલ્ડ અથવા ડંડીમાં સ્થિત છે, જેઓ કેટલાંક અઠવાડિયા અને મહિનાઓ સુધી આ ફોલો-અપના કાર્યભારી હશે. આ ફોલો-અપ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં મોલર ગર્ભાવસ્થા સતત વિકસતી જાય છે અને ક્યારેક ક્યારેક જેસ્ટેશનલ ટ્રોફો બ્લાસ્ટિકનિયો પ્લાસિયા નામના કેન્સરના દુર્લભ સ્વરૂપમાં વિકસી શકે છે. આ સામાન્ય નથી અને જો તે થાય છે તો કીમો થેરાપીની સારવાર અત્યંત ઉચ્ચ ઉપચાર દર (98-100% ઉપચાર દર) સાથે સંકળાયેલ છે.તમારું ફોલો-અપ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે ગર્ભવતી ન થાઓ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભ નિરોધકની લગભગ તમામ પદ્ધતિઓ ઉપયોગ કરવા માટે સુરક્ષિત છે, પરંતુ તમારા betaHCG (બીટાએચસીજી) નેગેટિવ ન થાય ત્યાં સુધી ગર્ભાશયની અંદર મુકાતું ઉપકરણ જેમ કે કોઇલની ભલામણ કરવામાં આવતી નથી. અમે સલાહ આપીએ છીએ કે તમે તમારા ડૉક્ટર સાથે સૌથી વધુ યોગ્ય ગર્ભ નિરોધકની ચર્ચા કરો. ભવિષ્યની ગર્ભાવસ્થામાં ફરીથી મોલર ગર્ભાવસ્થા થવાનું જોખમ ઓછું હોય છે અને લગભગ100 માંથી1 મહિલાને થાય છે.
કસુવાવડ એ ગર્ભાવસ્થાના પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન બાળક ગુમાવવાની પરિસ્થિતિને કસુવાવડ થવી કહેવાય છે. પ્રારંભિક કસુવાવડ ગર્ભાવસ્થાના 13 અઠવાડિયા સુધીમાં થાય છે.કસુવાવડના લક્ષણોમાં રક્તસ્રાવ, અસાધારણ યોનિમાર્ગનો સ્રાવ, પેટના નીચેના ભાગમાં દુખાવો અને ગર્ભાવસ્થાના લક્ષણોમાં ઘટાડો સામેલ હોઈ શકે છે.ગર્ભાવસ્થાનાં પ્રથમ ત્રણ મહિનાનો સમય ઘણા કારણોસર ચિંતાજનક હોઈ શકે છે, જેમાંથી એક ગર્ભાવસ્થા ચાલુ રહેશે કે કેમ તે અંગેની ચિંતા હોય છે. દુર્ભાગ્યે, પાંચમાંથી એક પ્રારંભિક ગર્ભાવસ્થા કસુવાવડમાં સમાપ્ત થાય છે. ગર્ભાવસ્થાના કોઈ પણ તબક્કે બાળકનું નુકશાન (હાનિ) માતા-પિતા બંને માટે અત્યંત પિડાદાયક હોઈ શકે છે. આ કસુવાવડ ગર્ભાવસ્થા કેટલી આગળ વધ્યા પછી થઈ કે આ ગર્ભાવસ્થા પૂર્વ આયોજિત હતી કે નહીં એ મહત્વનું નથી, નુકસાન (હાનિ) ની લાગણી ખૂબ જ બળવાન હોઈ શકે છે. તે યાદ રાખવું અગત્યનું છે કે દરેક વ્યક્તિ નુકસાન (હાનિ) સાથે અલગ રીતે સમજૂતી કરે છે અને તમારા બાળક માટે શોક કરવો સામાન્ય છે. એવી સંખ્યાબંધ સંસ્થાઓ છે કે જેઓએ આ ખોટ સહન કરી હોય તેવા માતા-પિતા માટે નિષ્ણાત સહાય અને માહિતી પ્રદાન કરી શકે છે.ગર્ભાવસ્થા સફળ ન થવાના ઘણા કારણો હોવા છતાં, મોટાભાગના પ્રથમ ત્રણ મહિનામાં કસુવાવડ રંગસૂત્રોની સમસ્યાને કારણે થાય છે જેનો અર્થ એ થાય છે કે બાળક ક્યારેય વિકાસ પામી શક્યું ન હોત, નહીં, કે માતાએ કંઈ કર્યું કે કંઈ નથી કર્યું. મોટાભાગની મહિલાઓ જેઓ કસુવાવડ દ્વારા બાળક ગુમાવે છે તેઓ ભવિષ્યમાં સફળ ગર્ભધારણ કરે છે.અલ્ટ્રાસાઉન્ડમાં સ્કેન (સૂક્ષ્મ અવલોકન) દ્વારા કસુવાવડનું નિદાન કરી શકાય છે. તમારે મેટરનિટી યુનિટ (પ્રસૂતિ એકમ)માં રાતના રહેવાની જરૂર પડી શકે છે પરંતુ મોટાભાગની મહિલાઓ તે જ દિવસે ઘરે જઈ શકે છે. તમને એવા ડૉક્ટર, નર્સ અથવા મિડવાઇફ (દાયણ) પાસેથી ફોલોઅપ (મુલાકાતનું અનુસરણ) પ્રાપ્ત થશે જે પ્રારંભિક ગર્ભાવસ્થાની સમસ્યાઓમાં નિષ્ણાત છે.એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા પ્રસૂતિ સંભાળ પ્રદાતા (પ્રસૂતિ પૂર્વ ચિકિત્સાલય)ને તમારી કસુવાવડ વિશે જાણ કરો જો તેઓ જાણતા ન હોય તો તમને તમારા ઉપકરણમાંથી મમ એન્ડ બેબી ઍપને કાઢી નાખવાની ઈચ્છા થઈ શકે છે.
મને કહેવામાં આવ્યું છે કે મને પ્રારંભિક કસુવાવડ થઈ છે, મને કઈ સહાયતા મળી શકે?
કસુવાવડ દરેક મહિલા અને તેના જીવનસાથીને અલગ અલગ અસર કરે છે. આ સમય ખૂબ જ કષ્ટદાયક હોઈ શકે છે અને તમે આ ઘટના પછી જુદી જુદી લાગણીઓનો અનુભવ કરી શકો છો: ઉદાસી, ગુસ્સો, અપરાધ, ખોટ અને શોકની લાગણી. રિકવર થવા માટે તમને જરૂરી ઇમોશનલ સપોર્ટ મળે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. આ જરૂરિયાત પરિવાર અને મિત્રો સાથે વાત કરીને પૂરી થઈ શકે છે, ખાસ કરીને એવી વ્યક્તિ સાથે જેને કસુવાવડનો જાત અનુભવ થયો હોય. જો તમને લાગે કે તમને આનો સામનો કરવામાં કષ્ટ થઈ રહ્યું છે, તો તમારે તમારા GP પાસેથી સલાહ અને સહકાર લેવો જોઈએ.
મારી સાથે આવું શા માટે થયું?
દુર્ભાગ્યે, પ્રારંભિક કસુવાવડનું પ્રમાણ, (પ્રથમ 12 અઠવાડિયામાં એટલે કે પ્રથમ ત્રિમાસિકમાં પૂરી થઈ ગયેલી ગર્ભાવસ્થા) 5માંથી 1 જેટલું સામાન્ય છે. કસુવાવડ થવાનું કારણ ભાગ્યે જ સ્પષ્ટ થતું હોય છે, જોકે ગર્ભની રચના કરતાં રંગસૂત્રો (આનુવંશિક સામગ્રી અથવા ડીએનએ)માંની અસાધારણતાને આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સામાન્ય રીતે એવી અસાધારણતા છે જે ગર્ભધારણનાં સમયે થાય છે જેના લીધે બાળકનો વિકાસ સામાન્ય રીતે થઈ શકતો નથી. યોગ્ય રીતે ન વિકસેલ પ્લેસેન્ટા પણ સમસ્યાઓ ઊભી કરી શકે છે.આ બધી સમસ્યાઓ ફરીથી થવાની શક્યતા નથી, અને સંભવિત રીતે તમારી આગામી ગર્ભાવસ્થા જન્મ સુધી સચવાઈ રહેશે. વધતી વય જેવા કસુવાવડનું જોખમ વધારતા અમુક પરિબળો તમારા નિયંત્રણમાં નથી. જો કે, અનિયંત્રિત ડાયાબિટીસ અથવા થાઇરોઇડ રોગ જેવી મેડિકલ પરિસ્થિતિઓ, તેમજ ધૂમ્રપાન, કેફીનનું સેવન અને તમારું બોડી માસ ઇન્ડેક્સ (BMI) જેવાં જીવનશૈલીના પરિબળો પણ જોખમમાં વધારો કરી શકે છે. આ પરિબળોને નિયંત્રિત કરી શકાય છે અને ભવિષ્યમાં તંદુરસ્ત ગર્ભાવસ્થાને સફળ બનાવવા માટે તમારે GPની સલાહ લેવી જોઈએ.
આનાં પછી શું થશે અને મારી પાસે મેનેજમેન્ટ માટે કયા વિકલ્પો છે?
કેટલીક કસુવાવડમાં, શરીરને સમજાય છે કે ગર્ભનો વિકાસ બંધ થઈ ગયો છે અને તમને રક્તસ્ત્રાવ શરૂ થાય છે, જેની સાથે ઘણીવાર પેટમાં દુખાવો પણ થાય છે. કેટલીક મહિલાઓમાં કોઈ લક્ષણો દેખાતા નથી અને આનું નિદાન માત્ર નિયમિત અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દરમિયાન થાય છે. કસુવાવડના પ્રકાર અને તમારા વ્યક્તિગત સંજોગોના આધારે તમારા નિષ્ણાતની સલાહ દ્વારા તમને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
જો તમને કસુવાવડ વહેલી થાય છે, તો ગર્ભાશયમાંથી ગર્ભ કુદરતી રીતે અને સંપૂર્ણપણે દૂર થઈ શકે છે, એટલે કે તમને “સંપૂર્ણ કસુવાવડ” થાય છે. આ પ્રકારની કસુવાવડમાં કોઈ સારવારની જરૂર નથી.
“અપૂર્ણ કસુવાવડ” એ છે જેમાં કસુવાવડ શરૂ થઈ જાય છે પરંતુ ગર્ભ સંપૂર્ણપણે દૂર થતો નથી, તે ગર્ભાશયમાં કેટલાક પ્રેગ્નન્સી ટિશ્યૂઝ છોડી દે છે.
“મિસ્ડ (વિલંબિત) કસુવાવડ” એ છે કે જ્યાં બાળક ગર્ભાશયમાં મૃત્યુ પામે છે અને ઘણીવાર માતાને પીડા અથવા રક્તસ્રાવ જેવા કોઈ લક્ષણો દેખાતાં નથી.
જો તમને “અપૂર્ણ”, “સંપૂર્ણ” અથવા “મિસ્ડ (વિલંબિત) કસુવાવડ” થઈ હોય તો તે માટે સંભવિત રીતે 3 જેટલા વિવિધ વ્યવસ્થાપન વિકલ્પો ઉપલબ્ધ છે. તે છે:
ગર્ભવતી (ગર્ભ કુદરતી રીતે પસાર થાય તેની રાહ જોવી)
મેડિકલ, અથવા
સર્જિકલ મેનેજમેન્ટ.
કેટલીક પરિસ્થિતિઓમાં, ગર્ભવતી અને મેડિકલ વ્યવસ્થાપન યોગ્ય નથી હોતું, ઉદાહરણ તરીકે જો કસુવાવડ થતાં પહેલાં પ્રસુતિ ખૂબ જ દૂર હતી, અથવા તમને રક્તસ્રાવનું ઉચ્ચ જોખમ હોય અથવા ચેપ વિશે પહેલેથી જ ચિંતા હોય. તમારા નિષ્ણાત નર્સ અથવા ડૉક્ટર તમારા માટે સૌથી યોગ્ય વિકલ્પો વિશે તમને સલાહ આપશે. ગર્ભાશયમાં ચેપ લાગવાનું નજીવું જોખમ પણ છે; આ જોખમ ત્રણેય મેનેજમેન્ટ વિકલ્પોમાં રહેલું છે.
ગર્ભનું વ્યવસ્થાપન
આમાં ગર્ભનો કુદરતી રીતે નિકાલ થાય છે કે કેમ તે જોવાનો અને રાહ જોવાનો સમાવેશ થાય છે. આ વિકલ્પનો ફાયદો એ છે કે આમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી. 50% મહિલાઓને પછીથી વધુ મદદની જરૂર પડી શકે છે. લક્ષણો શરૂ થવામાં થોડો સમય (થોડા અઠવાડિયા સુધી) પણ લાગી શકે છે અને રક્તસ્રાવ 3 અઠવાડિયા સુધી ચાલી શકે છે. તમને સામાન્ય રીતે બે અઠવાડિયા સુધી રાહ જોવાની સલાહ આપવામાં આવશે, પરંતુ જો ત્યાં સુધીમાં તમને કોઈ રક્તસ્ત્રાવ ન થાય તો તમને દવા અથવા સર્જરીની ભલામણ કરવામાં આવી શકે છે. રક્તસ્રાવની શરૂઆતનો અનિશ્ચિત સમય અને રાહ જોતી વખતે થતી સમસ્યા ગર્ભ વ્યવસ્થાપનના ગેરફાયદા છે. તમે જોઈ શકો છો કે ગર્ભ લોહીની ગાંઠો સાથે બહાર નીકળી રહ્યો છે.આ વિકલ્પ તમારા માટે યોગ્ય છે તેની ખાતરી કરવા માટે તમારા નિષ્ણાત તમને કાળજીપૂર્વક કાઉંસેલિંગ આપશે. કસુવાવડના લક્ષણોને નિયંત્રિત કરવા માટે ખાતરી કરો કે તમારી પાસે સેનિટરી પેડ્સ, પેઈન રિલીફ અને ઘરે મદદ કરવા માટે સપોર્ટ છે. જો તમને મોટી ગાંઠો અથવા પીડા સાથે ખૂબ જ ભારે રક્તસ્ત્રાવ થતો હોય કે જે સામાન્ય પેઈન રિલીફથી નિયંત્રિત ન થાય તો તમારે તાત્કાલિક મેડિકલ સહાય લેવી જોઈએ અને તમારા નજીકના અકસ્માત અને ઇમર્જન્સી (A&E) વિભાગમાં હાજર થવું જોઈએ.તમારે તમારા લોકલ અર્લી પ્રેગ્નન્સી યૂનિટ (EPU) સાથે ફોલો-અપ કરવું જોઈએ. જો તમને કોઈ નોંધપાત્ર રક્તસ્રાવનો અનુભવ ન થાય અથવા 3 અઠવાડિયાથી વધુ સમય સુધી રક્તસ્ત્રાવ ચાલુ ન હોય, અથવા ઉચ્ચ તાપમાન/ફ્લૂ જેવા લક્ષણો હોય તો તમારું EPU સામાન્ય રીતે તમને ફરીથી તપાસશે. જો તમારા લક્ષણો કસુવાવડનાં લક્ષણો જેવાં હોય તો તમારું EPU તમને કસુવાવડના ત્રણ અઠવાડિયા પછી યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા અથવા કસુવાવડ પૂર્ણ થઈ છે કે કેમ તેની ખાતરી કરવા માટે રિપીટ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરવાનું કહી શકે છે.
મેડિકલ મેનેજમેન્ટ
આમાં કસુવાવડ શરૂ કરવા માટે કેટલીક દવા લેવાનો સમાવેશ થાય છે. તમારે યોનિમાર્ગમાં મિસોપ્રોસ્ટોલ નામની દવા દાખલ કરવી પડશે (કેટલાક સંજોગોમાં તેને મોં વાટે પણ લેવામાં આવે છે). કેટલાક EPU મહિલાઓને પહેલા મીફેપ્રિસ્ટોન નામની ઓરલ ગોળી લેવાની અને એનાં 2 દિવસ પછી યોનિમાર્ગમાં દવા મૂકવાની સલાહ આપે છે. આ દવા લગભગ 80-90% મહિલાઓમાં સફળ થાય છે. આ દવાને લીધે ક્યારેક ઝાડા અને ઉબકા સહિત કેટલીક આડઅસર થઈ શકે છે.તમને લોહીની ગાંઠ સાથે ભારે રક્તસ્ત્રાવ તેમજ ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. જો તમને મોટી ગાંઠો અથવા પીડા સાથે ખૂબ જ ભારે રક્તસ્ત્રાવ થતો હોય જે સામાન્ય પેઈન રિલીફથી નિયંત્રિત ન થાય તો તમારે તાત્કાલિક મેડિકલ મદદ લેવી જોઈએ અને A&E માં જવું જોઈએ. જો મિસોપ્રોસ્ટોલ લીધા પછી પ્રથમ 48 કલાકમાં તમને નોંધપાત્ર રક્તસ્રાવ બન થાય, તો તમારે તમારા સ્થાનિક EPUને જાણ કરવી જોઈએ. આ વિકલ્પ તમારા માટે યોગ્ય છે તેની ખાતરી કરવા માટે તમારા નિષ્ણાત તમને કાળજીપૂર્વક કાઉંસેલિંગ આપશે. ખાતરી કરો કે કસુવાવડના લક્ષણોને નિયંત્રિત કરવા માટે તમારી પાસે સેનિટરી પેડ્સ, પેઈન રિલીફ અને ઘરે મદદ કરવા માટે સપોર્ટ છે.આ પ્રકારના મેનેજમેન્ટનો ફાયદો એ છે કે તે કસુવાવડને વેગ આપે છે અને સર્જિકલ પ્રક્રિયાનાં જોખમને ટાળે છે. કેટલાક કિસ્સાઓમાં, દવા અસફળ રહેતાં મહિલાઓને રિપીટ ટેબ્લેટ અથવા સર્જરીની ઓફર કરવામાં આવે છે. કેટલાક પ્રેગ્નન્સી ટિશ્યૂઝ પાછળ રહી જવાનું નાનું જોખમ પણ રહેલું છે; જે મોટાભાગે તે પછીના પિરિયડ સાથે કુદરતી રીતે દૂર થઈ જાય છે, પરંતુ કેટલીક મહિલાઓ તેને દૂર કરવા માટે સર્જરી કરવાનું પસંદ કરે છે. તમારે તમારા લોકલ અર્લી પ્રેગ્નન્સી યૂનિટ (EPU) સાથે ફોલો-અપ કરવું જોઈએ.જો તમને કોઈ નોંધપાત્ર રક્તસ્રાવનો અનુભવ ન થાય અથવા ઉચ્ચ તાપમાન/ફ્લૂ જેવા લક્ષણો ન દેખાય તો તમારું EPU સામાન્ય રીતે તમને ફરીથી તપાસશે. જો તમારા લક્ષણો કસુવાવડ પૂર્ણ થઈ છે એ બતાવતા હોય તો તમારું EPU તમને કસુવાવડના ત્રણ અઠવાડિયા પછી યુરિનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે કહેશે. જો તમારો ટેસ્ટ પોઝિટિવ આવે અથવા કસુવાવડના 3 અઠવાડિયા પછી રક્તસ્ત્રાવ ચાલુ રહે, તો તમારે તમારા EPUને જાણ કરવી જોઈએ જેથી તેઓ ફોલો-અપ ચાલુ રાખે.
સર્જિકલ મેનેજમેન્ટ
આને પરંપરાગત રીતે “D↦C” તરીકે ઓળખવામાં આવે છે. આમાં ગર્ભાશયમાંથી પ્રેગ્નન્સી ટિશ્યૂઝને દૂર કરવા માટે એક નાની સક્શન ટ્યુબને દાખલ કરવા માટે સર્વિક્સ (ગર્ભાશયની ગરદન) ને ધીમેથી ખોલવા (વિસ્તારવા)નો સમાવેશ થાય છે. કોઈ પણ અસામાન્ય પ્રેગનન્સી ટિશ્યૂને માઇક્રોસ્કોપ હેઠળ જોવા માટે હોસ્પિટલની લેબમાં મોકલી શકાય છે.સર્વિક્સને વધુ સરળતાથી ખોલવા માટે પ્રક્રિયા પહેલા તમને દવા આપવામાં આવે છે. આ પ્રક્રિયા સામાન્ય એનેસ્થેટિક (જેમાં તમે ઊંઘતા હશો) અથવા MVA (મેન્યુઅલ વેક્યુમ એસ્પિરેશન) તરીકે ઓળખાતી સ્થાનિક એનેસ્થેટિક હેઠળ કરી શકાય છે. આ પ્રક્રિયામાં લગભગ 20 મિનિટનો સમય લાગે છે. ગોળીઓ અથવા “ગેસ એન્ડ એર”(એન્ટોનોક્સ)જેવા વધારાનાં દર્દ નિવારકની સલાહ આપવામાં આવી શકે છે.સર્જિકલ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જોખમોમાં ભારે રક્તસ્રાવ, ગર્ભાશયનાં અસ્તરમાં ડાઘ (એડેશન) અને ચેપનો સમાવેશ થાય છે. આની સાથે એક નાનું જોખમ એ પણ સંકળાયેલું છે કે કેટલાક પ્રેગ્નન્સી ટિશ્યૂ ગર્ભાશયમાં રહી જાય છે જે ક્યારેક કુદરતી રીતે જાતે જ દૂર થઈ જાય છે અથવા એને ઓપરેશન દ્વારા દૂર કરવા પડી શકે છે. સૌથી ગંભીર સંભવિત મુશ્કેલી એ છે કે ગર્ભાશયમાં છિદ્ર થઈ જાય છે, પરંતુ આવું ભાગ્યે જ થાય છે. સર્જરી પછી, જો તમારું બ્લડ ગ્રુપ રીસસ નેગેટિવ હોય, તો રીસસ આઇસોઇમ્યુનાઇઝેશન(સમપ્રતિરક્ષણીયકરણ) નામની સમસ્યાને રોકવા માટે તમને એન્ટિ-ડી નામનું ઇન્જેક્શન આપવું જોઈએ.રીસસ આઇસોઇમ્યુનાઇઝેશન (સમપ્રતિરક્ષણીયકરણ) એ છે જેમાં તમારું શરીર તમારા ગર્ભ સામે એન્ટિબોડીઝ વિકસાવે છે કારણ કે તમારું બ્લડ ગ્રુપ તમારા બાળક કરતાં અલગ છે (એટલે કે તમારા બાળકનું બ્લડ ગ્રુપ રીસસ પોઝિટિવ છે). ભવિષ્યની ગર્ભાવસ્થામાં એન્ટિબોડીઝ પ્લેસેન્ટાને પાર કરશે અને તમારા રીસસ પોઝિટિવ બાળકનાં બ્લડ સેલ્સ પર હુમલો કરશે; ગર્ભાવસ્થાના પ્રારંભમાં સર્જરી પછી આવું થતું અટકાવવા માટે એન્ટિ-ડી આપવી જોઈએ.
મારે કયા ચિંતાજનક લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?
રક્તસ્ત્રાવ કસુવાવડ પછી લગભગ બેથી ત્રણ અઠવાડિયામાં બંધ થવો જોઈએ. જો તમને ત્રણ અઠવાડિયા પછી પણ રક્તસ્ત્રાવ થતો હોય, તો તમારે તમારા સ્થાનિક EPUનો સંપર્ક કરવો જોઈએ. જો તમને ભારે રક્તસ્ત્રાવ, પેટમાં તીવ્ર દુખાવો, તાવ અથવા ગંધાતો સ્રાવ થતો હોય તો તમારે તમારા અર્લી પ્રેગ્નન્સી યૂનિટનો સંપર્ક કરવો જોઈએ અથવા તમારા સ્થાનિક A&Eની મુલાકાત લેવી જોઈએ.
કસુવાવડ પછી શું થાય છે?
પ્રારંભિક કસુવાવડ ખૂબ જ સામાન્ય છે અને 5 માંથી 1 મહિલાને કોઈ સ્પષ્ટ કારણ વગર કસુવાવડ થાય છે. આ ઘટના આઘાતજનક હોઈ શકે છે અને ફરીથી ગર્ભધારણનાં પ્રયાસમાં અનેક મુશ્કેલી ઊભી કરે છે, તમે આનાં કારણો અને આવું ફરી થવાની શક્યતા વિશે જાણવા ઉત્સુક હશો. જો કે, પુરાવા દર્શાવે છે કે મોટાભાગના યુગલોમાં બે પ્રારંભિક કસુવાવડ પછી પણ સફળ ગર્ભાધાન થાય છે. જો તમને ત્રણ કે તેથી વધુ પ્રારંભિક કસુવાવડ થઈ હોય (જે 1% યુગલોમાં જોવા મળે છે) તો કસુવાવડ શા માટે થઈ રહી છે અને એની સારવાર ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા માટે તમારા GP તમને નિષ્ણાત પાસે ટેસ્ટ અને તપાસ માટે મોકલી શકે છે.કમનસીબે, આ બધી તપાસ પછી પણ કસુવાવડ શા માટે થઈ તેનું ચોક્કસ કારણ શોધવું શક્ય ન પણ બને, જે ખૂબ નિરાશાજનક બાબત છે; આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ વિષય પર સંશોધન થવું ઘણું જરૂરી છે. જોકે, એનાં પછી પણ સફળ ગર્ભાવસ્થા શક્ય છે, ખાસ કરીને જો તમારી ટેસ્ટનાં પરિણામો સામાન્ય હોય.
હું ફરીથી ગર્ભધારણ ક્યારે કરી શકું?
અર્લી પ્રેગ્નન્સી યૂનિટ (EPU) સાથે તમારું ફોલોઅપ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે રાહ જુઓ તે જરૂરી છે. તમારો આગામી પિરિયડ સામાન્ય રીતે કસુવાવડના લગભગ 4-6 અઠવાડિયા પછી આવવો જોઈએ. સામાન્ય રીતે ગર્ભધારણ માટે ફરીથી પ્રયાસ કરવાનું શરૂ કરતાં પહેલાં તમારી બૉડી ક્લોકને ફરીથી સેટ થવામાં મદદ કરવા માટે તમારા આગામી પિરિયડની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે. તમે નવી ગર્ભાવસ્થા શરૂ કરવા માટે ભાવનાત્મક તેમજ શારીરિક રીતે તૈયાર છો તેની ખાતરી કરવી પણ જરૂરી છે. ભાવનાત્મક રિકવરી ઘણીવાર તમારી શારીરિક રિકવરી કરતાં વધુ સમય લે છે.
તમારા બાળકને પ્રથમ વખત મળવાથી નવા માતા-પિતામાં ઘણી વિભિન્ન લાગણીઓ ઉત્પન થઈ શકે છે. જન્મ સુધીના મહિનાઓ પછી, તમે ઉત્સાહ અને પ્રેમની ત્વરિત ઉતાવળ અનુભવી શકો છો પરંતુ જો તમે શરૂઆતમાં સ્તબ્ધ અને ડિસ્કનેક્ટ અનુભવો છો, અથવા બાળક ઠીક છે કે કેમ તે અંગે ચિંતા કરશો નહીં. તમારા બાળક સાથે ભાવનાત્મક જોડાણ બનાવવામાં સમય લાગી શકે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે તમારા નવજાત શિશુ વિશે અનુભૂતિ કરવાનો કોઈ સાચો કે ખોટો રસ્તો નથી અને કેટલાક માતા-પિતા માટે પ્રસૂતિ પૂરી થઈ ગઈ છે અને તેમનું નવું બાળક આવી ગયું છે તેની સાથે સંતુલિત થવામાં ઘણો સમય લાગી શકે છે.
જો તમે કોઈ પણ લાંબા ગાળાની સ્થિતિ માટે દવાઓ લઈ રહ્યા હોવ, તો પહેલા તમારા GP સાથે વાત કર્યા વિના તેમને લેવાનું બંધ કરશો નહીં અથવા ડોઝ બદલશો નહીં. જો તમને અમુક દવાઓની સલામતી વિશે ખાતરી ન હોય, તો તમારા GP અથવા સ્થાનિક દવાવાળા સાથે વાત કરો. સ્તનપાન કરતી વખતે ઘણી દવાઓ સુરક્ષિત હોય છે પરંતુ તમારા GP સાથે વાત કરો જે પુષ્ટિ કરી શકે અથવા સુરક્ષિત વિકલ્પની ભલામણ કરી શકે.તમારા GP તમને પ્રસૂતિ મુક્તિ પ્રમાણપત્ર માટે સહી કરેલ ફોર્મ પ્રદાન કરી શકે છે. આ તમને તમારા બાળકના જન્મ પછી એક વર્ષ સુધી મફત NHS પ્રિસ્ક્રિપ્શન્સ માટે હકદાર બનાવશે.
પ્રત્યેક NHS ટ્રસ્ટ પાસે મેટરનિટી વોઈસ પાર્ટનરશીપ (MVP) ગ્રૂપ હોય છે. તેઓ સર્વિસ યુઝર, તેમના પરિવારો, કમિશનરો, પ્રદાતાઓ, ડૉકટરો અને દાયણની એક ટીમથી બનેલા છે જે સેવા યુઝરોના અવાજને સાંભળવામાં આવે છે અને પ્રસૂતિ સેવાઓને સુધારવાના કેન્દ્રમાં છે તેની ખાતરી કરવા માટે સાથે મળીને કામ કરે છે.બધા MVP નું નેતૃત્વ તમારા જેવા જ સેવા યુઝરો દ્વારા કરવામાં આવે છે – તેમને એક બાળક છે અને અમારી પ્રસૂતિ સેવાઓનો ઉપયોગ કરે છે. પ્રત્યેક MVP નો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે અમારી સેવાઓનો ઉપયોગ કરનાર પ્રત્યેકને તેમનો અવાજ સાંભળવાની તક મળે.તમારા સ્થાનિક MVP તમારા પ્રસૂતિ અનુભવો સારા કે ખરાબ વિશે સાંભળવા માટે ખૂબ ઉત્સુક હશે.
તમને હાથવગી પ્રસૂતિ નોંધોનો સેટ આપવામાં આવશે જે તમારે હંમેશા તમારી સાથે રાખવો જોઈએ અને તમારી બધી મુલાકાતમાં લાવવો જોઈએ. તમારી મુલાકાતો સામાન્ય રીતે અહીં તમારા બલ્ડ ટેસ્ટ અને ઝીણવટપૂર્વકની તપાસનાં પરિણામો સાથે દસ્તાવેજીકૃત કરવામાં આવશે.ઈંગ્લેન્ડના તમામ પ્રસૂતિ એકમો ડિજિટલ નોંધોના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે અને આ નોંધો પ્રસૂતિ એકમની IT સિસ્ટમ પર સુરક્ષિત રીતે સંગ્રહિત છે.જો તમને ખાતરી ન હોય તો તમે તમારા પ્રસૂતિ સંભાળ પ્રદાતાને તમારી પ્રસૂતિ નોંધોમાં લખેલ કંઈ પણ સમજાવવા માટે કહી શકો છો.