Miscarriage and the loss of your baby

કસુવાવડ અને તમારા બાળકની હાનિ

Two pairs of hands on a table top with one pair holding the other pair in a gesture of comfort કસુવાવડ એ ગર્ભાવસ્થાના પ્રથમ 24 અઠવાડિયા દરમિયાન બાળક ગુમાવવાની પરિસ્થિતિને કસુવાવડ થવી કહેવાય છે. પ્રારંભિક કસુવાવડ ગર્ભાવસ્થાના 13 અઠવાડિયા સુધીમાં થાય છે. કસુવાવડના લક્ષણોમાં રક્તસ્રાવ, અસાધારણ યોનિમાર્ગનો સ્રાવ, પેટના નીચેના ભાગમાં દુખાવો અને ગર્ભાવસ્થાના લક્ષણોમાં ઘટાડો સામેલ હોઈ શકે છે. ગર્ભાવસ્થાનાં પ્રથમ ત્રણ મહિનાનો સમય ઘણા કારણોસર ચિંતાજનક હોઈ શકે છે, જેમાંથી એક ગર્ભાવસ્થા ચાલુ રહેશે કે કેમ તે અંગેની ચિંતા હોય છે. દુર્ભાગ્યે, પાંચમાંથી એક પ્રારંભિક ગર્ભાવસ્થા કસુવાવડમાં સમાપ્ત થાય છે. ગર્ભાવસ્થાના કોઈ પણ તબક્કે બાળકનું નુકશાન (હાનિ) માતા-પિતા બંને માટે અત્યંત પિડાદાયક હોઈ શકે છે. આ કસુવાવડ ગર્ભાવસ્થા કેટલી આગળ વધ્યા પછી થઈ કે આ ગર્ભાવસ્થા પૂર્વ આયોજિત હતી કે નહીં એ મહત્વનું નથી, નુકસાન (હાનિ) ની લાગણી ખૂબ જ બળવાન હોઈ શકે છે. તે યાદ રાખવું અગત્યનું છે કે દરેક વ્યક્તિ નુકસાન (હાનિ) સાથે અલગ રીતે સમજૂતી કરે છે અને તમારા બાળક માટે શોક કરવો સામાન્ય છે. એવી સંખ્યાબંધ સંસ્થાઓ છે કે જેઓએ આ ખોટ સહન કરી હોય તેવા માતા-પિતા માટે નિષ્ણાત સહાય અને માહિતી પ્રદાન કરી શકે છે. ગર્ભાવસ્થા સફળ ન થવાના ઘણા કારણો હોવા છતાં, મોટાભાગના પ્રથમ ત્રણ મહિનામાં કસુવાવડ રંગસૂત્રોની સમસ્યાને કારણે થાય છે જેનો અર્થ એ થાય છે કે બાળક ક્યારેય વિકાસ પામી શક્યું ન હોત, નહીં, કે માતાએ કંઈ કર્યું કે કંઈ નથી કર્યું. મોટાભાગની મહિલાઓ જેઓ કસુવાવડ દ્વારા બાળક ગુમાવે છે તેઓ ભવિષ્યમાં સફળ ગર્ભધારણ કરે છે. અલ્ટ્રાસાઉન્ડમાં સ્કેન (સૂક્ષ્મ અવલોકન) દ્વારા કસુવાવડનું નિદાન કરી શકાય છે. તમારે મેટરનિટી યુનિટ (પ્રસૂતિ એકમ)માં રાતના રહેવાની જરૂર પડી શકે છે પરંતુ મોટાભાગની મહિલાઓ તે જ દિવસે ઘરે જઈ શકે છે. તમને એવા ડૉક્ટર, નર્સ અથવા મિડવાઇફ (દાયણ) પાસેથી ફોલોઅપ (મુલાકાતનું અનુસરણ) પ્રાપ્ત થશે જે પ્રારંભિક ગર્ભાવસ્થાની સમસ્યાઓમાં નિષ્ણાત છે. એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારા પ્રસૂતિ સંભાળ પ્રદાતા (પ્રસૂતિ પૂર્વ ચિકિત્સાલય)ને તમારી કસુવાવડ વિશે જાણ કરો જો તેઓ જાણતા ન હોય તો તમને તમારા ઉપકરણમાંથી મમ એન્ડ બેબી ઍપને કાઢી નાખવાની ઈચ્છા થઈ શકે છે.

Leave a Reply