Gestational diabetes

ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ

Close up of pregnant woman holding a blood sugar monitor ગર્ભાવસ્થામાં થતો ડાયાબિટીસ એ હાઈ બ્લડ સુગર (ઉચ્ચ રક્ત શર્કરા) છે જે ગર્ભાવસ્થા દરમિયાન વિકસે છે અને સામાન્ય રીતે જન્મ પછી અદૃશ્ય થઈ જાય છે. તે ત્યારે થાય છે જ્યારે શરીર ગર્ભાવસ્થાની વધેલી માંગને પહોંચી વળવા માટે પૂરતું ઇન્સ્યુલિન (રક્તમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવા માટે જવાબદાર હોર્મોન) ઉત્પન્ન કરી શકતું નથી. આનાં લક્ષણો સામાન્ય નથી, પરંતુ ઘણી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન આ સ્થિતિ માટે તપાસવામાં આવે છે, ખાસ કરીને જો તેમની પાસે ચોક્કસ જોખમી પરિબળો (કારણો) હોય. તમારી મિડવાઇફ (દાયણ) ને પૂછો કે શું તમને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસ થવા જોખમ છે અને શું તમારે પરીક્ષણ કરાવવાની જરૂર છે.
Gestational Diabetes Part 1
Gestational Diabetes Part 2
Gestational Diabetes Part 3

Indigestion/heartburn

અપચો/છાતીમાં બળતરા

Woman looking uncomfortable with her hand placed on her upper chest area અપચો/છાતીમાં બળતરા હોર્મોનલ ફેરફારોને કારણે અને તમારું બાળક વધતું જાય છે ત્યારે ગર્ભાશય તમારા પેટ પર દબાય છે તેને કારણે થાય છે, એવા ઘણા બધા ઘરેલું ઉપચાર છે જે તમે અજમાવી શકો છો. દૂધ અને/અથવા અમ્લપિત વિરોધી દવાઓ લક્ષણોને હળવા કરવામાં મદદ કરી શકે છે. જો અપચોના ઉપાયો કામ ન કરતા હોય અને/અથવા તમને અન્ય લક્ષણો હોય, તો ગર્ભાવસ્થા વિભાગમાં હ્રદયનું સ્વાસ્થ્ય વાંચો અને તમારી દાયણ અથવા GP સાથે વાત કરો.

Ultrasound scans

અલ્ટ્રાસાઉન્ડનું સૂક્ષ્મ અવલોકન

Ultrasound screen close up of baby's head એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન એ તમારા બાળક વિશે વધુ જાણવામાં મદદ કરવા માટેનો બીજો પ્રકાર છે. અલ્ટ્રાસાઉન્ડ એ તબીબી તપાસ છે જેમાં સોનોગ્રાફરની એકાગ્રતા જરૂરી છે. જેમ કે, એવી ભલામણ કરવામાં આવે છે કે તમે અન્ય નાના બાળને (બાળકો) ઘરે છોડી દો, સિવાય કે આ અનિવાર્ય હોય. તમારી પાસે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન બે સૂક્ષ્મ અવલોકનની માંગણી કરવામાં આવશે. પ્રથમને ગર્ભાવસ્થાના લગભગ 12 અઠવાડિયામાં તારીખનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખવામાં આવે છે અને બીજું (ક્યારેક વિસંગતતાનું સૂક્ષ્મ અવલોકન તરીકે ઓળખાય છે) લગભગ 20 અઠવાડિયાના ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવે છે. આ બીજું સૂક્ષ્મ અવલોકન તમારા બાળકના હાડકાં, હૃદય, મગજ, કરોડરજ્જુ, ચહેરો, કિડની અને પેટની વિગતવાર તપાસ કરશે. એ યાદ રાખવું અગત્યનું છે કે સૂક્ષ્મ અવલોકન તમારા બાળક વિશે ચિંતાજનક હોય તેવી દરેક વસ્તુ શોધી શકતું નથી. છબીઓની ગુણવત્તા શારીરિક વજનનો આંક કે ગર્ભાશયની ગાંઠો સહિત ઘણા પરિબળો પર આધારિત છે. જો તમે તમારા બાળકનું લિંગ જાણવા માંગતા હો, તો તમે સોનોગ્રાફરને પૂછી શકો છો, જો કે સ્પષ્ટપણે જોવાનું હંમેશા શક્ય નથી. યુકેમાં તમામ ગર્ભવતી મહિલેઓને પ્રસૂતિ પહેલાની ટેસ્ટ અને તપાસની માંગણી કરવામાં આવે છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસ તમને તમારા બાળકનેની કોઈ પરિસ્થિતિ અંગે હા/ના નો જવાબ આપી શકતી નથી. તે માત્ર તમને એટલું જ કહી શકે છે કે તમારા બાળકને અસર થવાની શક્યતાઓ શું છે. ગર્ભાવસ્થામાં ટેસ્ટ અને તપાસમાં બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકનનો સમાવેશ થાય છે (અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન સૂચવે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ હોઈ શકે છે (જેમ કે ડાઉન્સ સિન્ડ્રોમના માટે ટેસ્ટમાં હોય છે) અથવા સમર્થન કરી શકે છે કે ત્યાં કોઈ પરિસ્થિતિ છે (જેમ કે સ્પાઇન બિફિડાના નિદાનમાં)).
  • પરિણામો મોટાભાગે આંકડાકીય તક તરીકે નોંધવામાં આવે છે અને કેટલીકવાર “વધેલી તક” અથવા “ઓછી તક” શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે.
  • “જોખમ” અને “તક” શબ્દો ઘટના બનવાની સંભાવનાનો સંદર્ભ આપે છે. ઉદાહરણ તરીકે, 100 માંથી 1ની તકનો અર્થ એ છે કે આ પરિણામ ધરાવતી 100 સ્ત્રીઓમાંથી 1ને સહલક્ષણો વાળું બાળક હશે અને 99 ને નહીં. આ બાળકને સહલક્ષણ હોવાની 1% શક્યતા અને સહલક્ષણ નહીં હોવાની 99% શક્યતા છે.
  • મોટાભાગની મહિલાઓને પરિણામો દ્વારા આશ્વાસન મળશે પરંતુ કેટલીક (આશરે 5%) ને પરિણામ આપવામાં આવશે જે રોગનિદાન પરીક્ષણ વિશેના નિર્ણયો તરફ દોરી જાય છે. કોઈપણ પરીક્ષણ કરવું તે તમારી પસંદગી છે.
  • રોગનિદાન પરીક્ષણ જેવા કે CVS અને Amniocentesis માં કસુવાવડનું નાનું જોખમ (0.5 અને 1% ની વચ્ચે) હોય છે, જેનો અર્થ છે કે તેમને કરાવવું કે કેમ તે અંગેનો નિર્ણય મુશ્કેલ હોઈ શકે છે. કમનસીબે, તમારા બાળકને ડાઉન્સ સિન્ડ્રોમ અને અમુક અન્ય આનુવંશિક વિકૃતિઓ છે કે કેમ તેની ખાતરી કરવા માટે અન્ય કોઈ રીત નથી.
  • ગર્ભાવસ્થા દરમિયાન રોગનિદાન પરીક્ષણ તમને ચોક્કસ કહી શકે છે કે તમારા બાળકને કોઈ સ્થિતિ છે કે નહીં. સગર્ભાવસ્થામાં રોગનિદાન ટેસ્ટમાં CVS, એમ્નીયોસેન્ટેસીસ અને અલ્ટ્રાસાઉન્ડ સૂક્ષ્મ અવલોકન નો સમાવેશ થાય છે.
  • તમામ પરીક્ષણો થાય તે પહેલાં તમારા ડૉક્ટર અથવા દાયણ દ્વારા તમને સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
સોનોગ્રાફર સૂક્ષ્મ અવલોકન પૂર્ણ કરશે તે દિવસે તમારા સૂક્ષ્મ અવલોકનનાં પરિણામો તમને આપવામાં આવશે. મોટાભાગના પ્રસૂતિ એકમો તમને ઓછા ખર્ચે સ્કેન સૂક્ષ્મ અવલોકનનાં ચિત્રો પ્રદાન કરશે.

When to call your midwife/maternity unit

તમારી દાયણ/મેટરનિટી યૂનિટને ક્યારે કૉલ કરવો

Heavily pregnant woman kneeling on her bedroom floor and leaning over with one elbow on her bed તમારા મેટરનિટી ટ્રાયજ/એસેસમેન્ટ યૂનિટ (મૂલ્યાંકન એકમ) અથવા બર્થ સેન્ટર (જન્મ કેન્દ્ર)ને કૉલ કરો જો:
  • તમારી પાણીની થેલી ટૂટી જાય છે
  • તમને યોનિમાર્ગમાં તાજો લાલ રક્તસ્રાવ થાય છે
  • તમારું બાળક હંમેશની જેમ વારંવાર હલતું નથી
  • તમારાં ગર્ભાશયનું મજબૂત અને નિયમિત સંકોચન થાય છે
  • તમને સતત પેટમાં દુખાવો રહે છે
  • તમે અસ્વસ્થ અનુભવો છો અથવા તમે ચિંતિત છો

The ‘show’

‘પ્રદર્શન’

Close up of crumpled loo paper sheet with a slighty blood stained jelly-like substance in the centre ગર્ભાવસ્થા દરમિયાન, યોનિમાર્ગનાં નળીમાં જાડાડી લાળનો જથ્થો બને છે, અને જેમ જેમ શરીર પ્રસવ માટે તૈયાર થાય છે તેમ આ જથ્થો યોનિમાંથી પસાર થઈ શકે છે. આ સ્ત્રાવ પ્રસૂતિના એકથી બે અઠવાડિયા પહેલા, પ્રસૂતિ દરમિયાન અથવા ક્યારેક બિલકુલ પણ નહીં થાય. તે સ્પષ્ટ અથવા ગુલાબી/થોડા લોહીના ડાઘાવાળા જેલી જેવા પદાર્થ તરીકે દેખાય છે, અને એકવાર અથવા થોડા સમયે તમારા ધ્યાનમાં આવી શકે છે. જ્યાં સુધી તમે ચિંતિત ન હોવ ત્યાં સુધી તમારે આ વિશે તમારી દાયણને કૉલ કરવાની જરૂર નથી, જો કે જો તમે જોયું કે આ સ્ત્રાવમાં ખૂબ જ લોહીના ડાઘા છે અથવા તમે તાજું લોહી ગુમાવી રહ્યાં છો, તો તરત જ તમારા મેટરનિટી ટ્રાયેજ/એસેસમેન્ટ યૂનિટ (આકારણી એકમ) ને કૉલ કરો.

Thinking about feeding your baby

તમારા બાળકને ખવડાવવા વિશે વિચારવું

Close up of baby latched onto the mother's nipple ગર્ભાવસ્થા દરમિયાન તમને તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મૂલ્ય વિશેની માહિતી અને સ્તનપાન કેવી રીતે કરાવવું તે સહિત તમારા બાળકની સંભાળ રાખવા અને તેને સ્તનપાન બંધ કરાવીને ઉપરનું ખાવાનું આપવાની સારી શરૂઆતની ચર્ચા કરવાની તક મળશે. તમે તમારા બાળકને કેવી રીતે ખવડાવશો તે વિશે વિચારવાનું શરૂ કરવું ક્યારેય વહેલું નથી, પરંતુ તમારું બાળક જન્મે ત્યાં સુધી તમારે તમારું મન બનાવવાની જરૂર નથી. તમારા બાળકને ખવડાવવા વિશે તમારા વિચારો અને લાગણીઓ વિશે તમારી દાયણ સાથે વાત કરવી ખરેખર ઉપયોગી થઈ શકે છે. તમે તમારા બાળકને જે પણ રીતે ખવડાવવાનું નક્કી કરો છો તેની માટે તમને સહાયતા આપવામાં આવશે. તમે તમારા બાળકને સારી રીતે ખવડાવી શકો તે માટે, તમારી દાયણને તમારા પ્રસૂતિ યૂનિટમાં અથવા તમારા સ્થાનિક વિસ્તારમાં પ્રસૂતિ પહેલાં સ્તનપાનના વર્ગો વિશે પૂછો. આ વર્ગો તમને અને તમારા જીવનસાથી/સહાયકને વધુ આત્મવિશ્વાસ અને તૈયારી કરવામાં મદદ કરી શકે છે અને તમને બાળકને ખવડાવતી વખતની કેટલીક સામાન્ય સમસ્યાઓને વહેલી તકે ટાળવામાં મદદ કરી શકે છે. જો તમને ખવડાવવા વિશે ચોક્કસ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો ગર્ભાવસ્થા દરમિયાન તમારી દાયણને શિશુ ખોરાક નિષ્ણાંત સાથે મુલાકાત માટે પૂછો. તમામ મહિલાઓને તેમના બાળકને જન્મ આપ્યા પછી તરત જ તમે ઇચ્છો ત્યાં સુધી સીધા જ ત્વચાથી ત્વચાના સંપર્કમાં રાખવાની તક આપવામાં આવે છે. તેઓ ત્યાં સુધી. તમારી દાયણ સાથે તમારા અને તમારા બાળક બંને માટે ત્વચા-થી-ત્વચાના સંપર્કના ફાયદાઓ અને તમે તેના વિશે કેવું અનુભવો છો તેની ચર્ચા કરો. એક મિડવાઇફ (દાયણ) તમને સ્તનપાન શરૂ કરવામાં મદદ કરશે, અથવા તમારું બાળક સામાન્ય રીતે જન્મ પછીના પ્રથમ કલાકમાં જ ખોરાક લેવા માટે તૈયાર હોવાના સંકેતો બતાવે કે તરત જ પ્રતિભાવપૂર્વક દૂધની બોટલ કેવી રીતે આપવી તે બતાવશે. તમારા બાળકને તમારાથી અલગ કરવામાં આવશે નહીં સિવાય કે તેને વિશેષ કાળજીની જરૂર હોય. તમારા બાળકના જન્મ પછી સ્તનપાનની સકારાત્મક શરૂઆત થાય તેની ખાતરી કરવા માટે તમને તમારી પ્રસૂતિ ટીમ તરફથી સપોર્ટ (સહકાર) આપવામાં આવશે. જ્યારે તમે ઘરે હોવ ત્યારે પણ તમને સપોર્ટ (સહકાર) ઉપલબ્ધ હશે.
Human milk
Colostrum: Liquid gold
શિશુ ખોરાક વિશે વધુ જાણવા માટે આ વિષય અને સંબંધિત લિંક્સ શોધો.

Vaginal birth after caesarean (VBAC)

v

સિઝેરિયન પછી યોનિમાર્ગ દ્વારા જન્મ (VBAC)

Woman showing a cesarean section scar on her belly

VBAC શું છે?

VBACનો અર્થ છે ‘સિઝેરિયન પછી યોનિમાર્ગથી જન્મ’. આ શબ્દનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે મહિલાઓ અગાઉના સિઝેરિયન જન્મ પછી બીજા બાળકને યોનિમાર્ગે જન્મ આપે છે અથવા જન્મ આપવાની યોજના ધરાવે છે. યોનિમાર્ગે થતાં જન્મમાં નોર્મલ ડિલિવરી અને ફોર્સેપ્સ અથવા વેક્યુમ કપ (વેન્ટાઉસ) દ્વારા આસિસ્ટેડ ડિલિવરીનો સમાવેશ થાય છે.

જન્મ આપવાની પદ્ધતિ નક્કી કરવા માટે તમારી પાસે કયા વિકલ્પો છે?

જે મહિલાઓએ અગાઉ સિઝેરિયન દ્વારા જન્મ આપ્યો હોય તેઓ ગર્ભાવસ્થા દરમિયાન વ્યક્તિગત જોખમો અને વિકલ્પોની ચર્ચા કરવા માટે સલાહકાર પ્રસૂતિ નિષ્ણાત અથવા સલાહકાર દાયણ અથવા નિયુક્ત ડેપ્યુટી સાથે ચર્ચા કરી શકે છે. ગર્ભાવસ્થાના 39 અઠવાડિયા પછી બાળકને જન્મ આપવા માટે મહિલા VBAC અથવા આયોજિત વૈકલ્પિક સિઝેરિયન ઓપરેશન પસંદ કરી શકે છે. સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તમારી સાથે પ્લાનને રિવ્યુ કરવામાં આવશે. તમે તમારો વિચાર બદલી શકો છો અને તમારી દાયણ અથવા પ્રસૂતિ નિષ્ણાત સાથે કોઈ પણ પ્રશ્નોની ચર્ચા કરી શકો છો. ઇમર્જન્સી સમયે કૃપા કરીને તમારા લોકલ પ્રસુતિ યૂનિટને કૉલ કરો.

શું બધી મહિલાઓ માટે VBAC યોગ્ય હોય છે?

તમામ મહિલાઓ માટે VBACની ભલામણ કરવામાં આવતી નથી. LSCS પછી તમારી પ્રથમ/અનુગામી ગર્ભાવસ્થામાં તમને એક પત્ર આપવામાં આવ્યો હશે જે તમને તમારા વિશે વિકલ્પો વિશે સમજાવે છે. કન્સલ્ટેશન સમયે ઓબ્સ્ટેટ્રિક ડૉક્ટર અથવા સ્પેશિયાલિસ્ટ દાયણ તમારી સાથે તમારા વિકલ્પોની ચર્ચા કરશે અને જો ઉપલબ્ધ હોય તો તમારી અગાઉની નોંધો રિવ્યુ કરશે. એક વ્યક્તિગત પ્લાન પર તમારી સંમતિ લેવાશે જેને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન તપાસ કરવામાં આવશે.

VBAC વિશેનાં તથ્યો

યુકેમાં દર પાંચમાંથી એક મહિલાએ LSCS દ્વારા જન્મ આપવાનો અનુભવ કર્યો છે. આમાંથી લગભગ અડધા આયોજિત હોય છે જ્યારે બાકીનાં અડધા ઇમર્જન્સીનાં સમયે કરવામાં આવે છે. VBAC સામાન્ય રીતે પહેલાં માત્ર એક પ્રેગ્નન્સી ધરાવતી મહિલાઓને જ ઓફર કરવામાં આવે છે જેમાં બાળક હેડ ડાઉન પોઝિશનમાં હોય અને જેમને નીચેનાં ભાગમાં સિઝેરિયન સેક્શન (LSCS) કરવામાં આવ્યું હોય છે. આમાં સફળતાની શક્યતા લગભગ 72-75% છે. VBACની સફળતા સંખ્યાબંધ પરિબળો પર આધારિત છે. આમાં માતૃત્વને લીધે વધેલું વજન, તમારું સ્વાસ્થ્ય અને તમારૂં લેબર આપમેળે શરૂ થાય છે કે નહીં તેનો સમાવેશ થાય છે. જે મહિલાઓમાં અગાઉના LSCSને એક વર્ષ કરતાં ઓછો સમય થયો હોય છે તેમને ઘા ફરી ખુલવાનું જોખમ વધારે નથી, પરંતુ બાળકનો જન્મ સમય પહેલાં થવાનુ જોખમ વધારે હોય છે. સામાન્ય રીતે એવી સલાહ આપવામાં આવે છે કે બે બાળકોનાં જન્મ વચ્ચે ઓછામાં ઓછું એક વર્ષનું અંતર હોવું જોઈએ. જે મહિલાઓએ બે કે તેથી વધુ બાળકોને સિઝેરિયનથી જન્મ આપ્યાં હોય તેમને કાઉન્સેલિંગ પછી VBAC માટેની તક આપવામાં આવી શકે છે. એમાં પણ સફળતાનો દર સમાન છે (62-75%). જો તમે અગાઉ સફળ VBAC કરાવ્યું હોય તો ફરીથી તમારૂં VBAC સફળ થવાની તક 85-90% જેટલી છે.

VBAC સાથે કયા જોખમો સંકળાયેલાં છે?

ઘા ખુલી જવાની શક્યતા 1:200 (0.5%) છે, જો તમને ઇંડ્યુસ કરવામાં આવ્યાં હોય તો આ શક્યતામાં નોંધપાત્ર વધારો થાય છે. પ્રોસ્ટાગ્લાન્ડિન્સ(મેડિકલ પદ્ધતિ)નાં ઉપયોગની સરખામણીએ એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથેનાં ઇન્ડક્શનમાં ઘા ખુલી જવાનું જોખમ ઓછું છે. લગભગ 25% પ્રસૂતિમાં મહિલાઓને LSCSની જરૂર પડે છે. આયોજિત LSCS કરતાં ઇમર્જન્સી LSCSમાં વધુ જોખમ હોય છે અને તમને હેમરેજ થવાની સંભાવના વધારે હોય છે, જેના કારણે આ પરિસ્થિતિમાં લોહી ચઢાવવાની જરૂર પડે છે. આયોજિત પ્રોસીજર કરતાં ઇમર્જન્સી પ્રોસીજર દરમિયાન મૂત્રાશય અથવા આંતરડાની ઇજા થવાની શક્યતા પણ વધુ હોય છે. પહેલી વાર બાળકને જન્મ આપતી મહિલા જેટલી જ મુશ્કેલી બાળકને પણ થઈ શકે છે. તમને આસિસ્ટેડ જન્મની જરૂર પડી શકે છે અથવા પાછળના માર્ગ (ગુદા) ને સંડોવતા પેરીનેલ ટ્રૉમાનો અનુભવ થઈ શકે છે. જન્મ સમયેનું બાળકનું અનુમાનિત વજન પેરીનેલ ઇજાને અસર કરતાં જોખમનું પરિબળ હોઈ શકે છે.

સફળ VBACનાં લાભ શું છે?

જો તમારૂં VBAC સફળ રહ્યું હોય, તો તેમાં આયોજિત LSCS કરતાં ઓછી જટિલતાઓ છે. તમારી રિકવરી ઝડપી થવાની શક્યતા છે અને તમે સામાન્ય પ્રવૃત્તિઓ વહેલા શરૂ કરી શકશો. તમારું હોસ્પિટલમાં રોકાણ પણ ઓછું રહેશે. તમારા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવાની શક્યતા પણ ઓછી છે.

VBAC ક્યારે સલાહભર્યું નથી?

જો તમે અગાઉ ગર્ભાશય ફાટવાનો અનુભવ થયો હોય અથવા ક્લાસિકલ સિઝેરિયનનો ઘા(પેટ પર વર્ટિકલ ઘા) હોય અથવા અન્ય ગર્ભાવસ્થા અથવા મેડિકલ/આરોગ્ય સંબંધી ગૂંચવણો હોય અથવા અગાઉ ગર્ભાશયની સર્જરી થઈ હોય તો આયોજિત VBACની ભલામણ કરવામાં આવતી નથી.

VBAC નો અનુભવ કરતી મહિલાઓ માટે પ્રસૂતિ દરમિયાન શું થાય છે?

તમને સામાન્ય રીતે હોસ્પિટલના લેબર વોર્ડમાં પ્રસૂતિ કરાવવાની સલાહ આપવામાં આવશે. જ્યારે તમને નિયમિત સંકોચન થાય અથવા તમારું પાણી તૂટી જાય ત્યારે તમને હોસ્પિટલને કૉલ કરવાનું કહેવામાં આવે છે. બાળકના ધબકારાનું સતત નિરીક્ષણ કરવાની ભલામણ કરવામાં આવે છે. પેઈન રિલીફનાં ઘણાં વિકલ્પો ઉપ્લબ્ધ છે અને પ્રવાહી વ્યવસ્થાપન માટે તમારા હાથમાં ઇન્ટ્રાવેનસ સોય દાખલ કરવા વિશે સલાહ આપવામાં આવશે. જો તમે હોસ્પિટલમાં જન્મ નથી આપી રહ્યાં, તો નિષ્ણાત દાયણ અથવા કન્સલ્ટન્ટ દાયણ તમારી સાથે વ્યક્તિગત યોજના બનાવશે.

જ્યારે પ્રસુતિ પીડા જાતે શરૂ ન થાય ત્યારે શું થાય છે?

જો તમને 40 અઠવાડિયા સુધી પ્રસુતિ પીડાઆપમેળે શરૂ ન થાય તો તમને સામાન્ય રીતે એન્ટેનેટલ ક્લિનિકમાં તપાસવામાં અને મૂલ્યાંકન કરવામાં આવશે. તમને પ્રોસ્ટાગ્લાન્ડિન્સ (મેડિકલ પદ્ધતિ) સાથે ઇન્ડક્શન (IOL), એમ્નીયોટોમી (પટલનું કૃત્રિમ ભંગાણ) અથવા બલૂન કેથેટર સાથે ઇન્ડક્શન અથવા હજુ એક અઠવાડિયાની રાહ જોવા જેવા વિકલ્પો આપવામાં આવશે. તમારી સાથે વ્યક્તિગત ધોરણે LSCS દ્વારા ડિલિવરીની ચર્ચા કરવામાં આવશે. પ્રસુતિ અથવા LSCS ને લગતા કોઈ પણ નિર્ણય લેતી વખતે તમારા અને તમારા બાળક પરનાં કોઈ પણ જોખમને ધ્યાનમાં રાખવામાં આવશે.

Your baby’s position

તમારાં બાળકની સ્થિતિ

Cross-section diagram of baby in the womb in the head down position ગર્ભાવસ્થાના 36 અઠવાડિયાથી, તમારા બાળકનું માથું જન્મની તૈયારીના ભાગ રુપે નીચે (સેફાલિક) સ્થિતિમાં ફરવું જોઈએ. નાની સંખ્યામાં બાળકો આ સ્થિતિમાં નહીં હોય, અને તેમની સ્થિતિ કાં તો બ્રીચ (શરીરનો નીચલો ભાગ પહેલા) અથવા ત્રાંસી/આડી (તમારા પેટ આડી સ્થિતિમાં પડેલા) હોઈ શકે છે. જો તમારી મિડવાઇફ (દાયણ) ને શંકા હોય કે તમારું બાળક હેડ ડાઉન (માથું નીચે)ની સ્થતિમાં નથી, તો તમારા વિકલ્પો વિશે ચર્ચા કરવા માટે તમને સ્કેન (સૂક્ષ્મપરીક્ષણ) અને ડૉક્ટર/નિષ્ણાત દાયણ સાથે મુલાકાતની ઑફર કરવામાં આવી શકે છે. આ વિકલ્પોમાં કાં તો તમારા બાળકને ફેરવવાનો પ્રયાસ (નીચે સંબંધિત લિંક્સ જુઓ), યોનિમાર્ગમાંથી બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ અથવા આયોજિત સિઝેરિયન (શસ્ત્રક્રિયા દ્વારા) જન્મનો સમાવેશ થઈ શકે છે. જો તમારુંરાં બાળકનું માથું નીચેની તરફ નથી, તો ચિંતા કરશો નહીં – તમારી પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે અને તમારી ટીમ તમને તમારી સંભાળને આગળ વધવા સંબંધિત કોઈપણ નિર્ણયો લેવામાં મદદ કરશે. વાંચીને યોનિમાર્ગ બ્રીચ (બાળકનાં શરીરનો નીચલો ભાગ પહેલા બહાર આવવો) જન્મ વિશે વધુ જાણો:

Options to consider

ધ્યાનમાં લેવાના વિકલ્પો

Smiling health professional hold the arm of a pregnant woman in a reassuring gesture
  • તમારા બાળકનાં જન્મની પ્રક્રિયામાં તમારો સાથી કોણ હશે
  • પ્રસૂતિ/જન્મ દરમિયાન વિદ્યાર્થીની હાજરી વિશે તમને કેવું લાગે છે
  • પ્રસૂતિની પીડા અને જન્મ માટે વિવિધ પીડા રાહત વિકલ્પો
  • પ્રસૂતિની પીડા/જન્મ માટે વિવિધ સ્થિતિઓ
  • પીડાનો સામનો કરવાની વ્યૂહરચના અને પીડામાં રાહત
  • યોનિમાર્ગની તપાસ વિશે તમને કેવું લાગે છે
  • શું તમને પ્રસૂતિ દરમિયાન બાળકના હૃદયનું સતત અથવા તૂટક તૂટક નિરીક્ષણ કરવું ગમશે?
  • જો સહાયિત જન્મની ભલામણ કરવામાં આવે તો તમારી પાસે કોઈપણ પસંદગીઓ છે?
  • કોણ નાળ/શ્રેષ્ઠ નાળ ક્લેમ્પિંગને કાપશે
  • ત્વચા-થી-ત્વચા નો સંપર્ક
  • શિશુને ખવડાવવા વિશે તમારા વિચારો
  • તમે તમારી નાળને કેવી રીતે છૂટી કરશો (જન્મ પછી)
  • તમારા બાળક માટે વિટામિન K.
પ્રસૂતિ અથવા સિઝેરિયન જન્મ – આયોજિત અથવા બિનઆયોજિત થવાના કિસ્સામાં તમે તમારા બાળકનો જન્મ કેવી રીતે ઇચ્છો છો તે વિશે વિચારવું ઉપયોગી છે અને તમારી દાયણ અથવા ડૉક્ટરને પૂછવું કે વ્યક્તિગત સંજોગોમાં તમારે તમારા પોતાના માટે કઈ બાબતો ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે. જ્યારે તમે પ્રસૂતિમાં હોવ ત્યારે તમારી દાયણ તમારી સાથે તમારી પસંદગીઓ અને યોજના બદલવાનું વિચારવાના કોઈપણ કારણો વિશે ફરી ચર્ચા કરશે. જ્યારે તમે મેટરનિટી યુનિટ (પ્રસૂતિ એકમ) માં મળો ત્યારે (અથવા જો તમે ઘરે જન્મનું આયોજન કરી રહ્યાં હોવ તો) તમે તમારા બાળકનાં જન્મની યોજના તમારી દાયણ સાથે શેર કરી શકો છો. આ એપ્લિકેશનમાં તમારી વ્યક્તિગત જન્મ પસંદગીઓ યોજના પૂર્ણ કરો જે તમારી પ્રસૂતિ ટીમ સાથે શેર કરવા માટે પ્રિન્ટ કરી શકાય છે.

Your birth preferences and plan

તમારી જન્મ આપવાની પસંદગીઓ અને યોજના

Pregnant woman sitting up on a bed with a note book and pen જન્મ આપવાની પસંદગી યોજના પૂર્ણ કરવાથી તમને અને તમારા જન્મ સાથીને પ્રસૂતિ દરમિયાન અને તમારા બાળકના જન્મ દરમિયાન તમારી પસંદગીઓ અને પ્રાધાન્યો વિશે વિચારવામાં મદદ મળી શકે છે. તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમને તમારી દાયણ/ડૉક્ટર સાથે મળવાની અને યોજના વિશે ચર્ચા કરવાની તક મળશે – તમારી 34 અથવા 36 અઠવાડિયાની એપોઇન્ટમેન્ટના સમયની આસપાસ આ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારી ટીમને તમે કયા પ્રકારે જન્મ આપવા ઈચ્છો છો તે સમજવામાં મદદ મળશે. પ્રસૂતિની પીડા અને જન્મ વિશે ઍપમાં સામગ્રી વાંચો, પછી પર્સનલ કેર અને સપોર્ટ પ્લાન વિભાગમાં જન્મ આપવાની પસંદગી યોજનાનો ઉપયોગ કરીને તમારા વિચારો અને પસંદગીઓ લખો. કયા વિકલ્પો ધ્યાનમાં લેવા તે માટે નીચે જુઓ.