ગર્ભાવસ્થા દરમિયાન માનસિક સ્વાસ્થ્યની સમસ્યા શરૂ થવી એ અસામાન્ય નથી, જો તમને કોઈપણ સમયે નીચે આપેલા કોઈ પણ લક્ષણો હોય, તો શક્ય તેટલી વહેલી તકે તમારી દાયણ અથવા ડૉક્ટર સાથે વાત કરો. જો તમે અસ્વસ્થ હો તો તેઓ મદદ માટે સારવારની વ્યવસ્થા કરી શકે છે.શું ધ્યાન રાખવું:
બે અઠવાડિયાથી વધુ સમય માટે, મોટાભાગે અલ્પતા અથવા બેચેની અનુભવો
તમને સામાન્ય રીતે ગમતી વસ્તુઓમાંથી રસ ગુમાવવો
ગભરાટ ભર્યા હુમલાઓ
મહત્વહીન અથવા દોષિત લાગણી
તમારી ભૂખ ગુમાવવી
અપ્રિય વિચારો આવતા રહેવા અને તેને નિયંત્રિત નહીં કરી શકવા
તમારી જાતને વધુ સારું લાગે તે માટે કોઈ ક્રિયા (જેમ કે ધોવું, તપાસવું, ગણવું) નું પુનરાવર્તન કરવું
શોધવું કે તમારા વિચારો ભાગી રહ્યા છે અને તમે અત્યંત શક્તિશાળી અને ખુશ થઈ જાઓ છો
એવી લાગણી થવી કે તમે બાળકને જન્મ આપવાથી એટલા ડરો છો કે તમે તેમાંથી જવા નથી માંગતા
સતત વિચારો કે તમે અયોગ્ય માતા છો અથવા તમે બાળક સાથે જોડાયેલા નથી
સ્વ-નુકસાન અથવા આત્મહત્યા વિશેનાં વિચારો.
તમારે તમારી દાયણ અથવા ડૉક્ટરને પણ જણાવવું જોઈએ જો તમને ખાવાની વિકૃતિ હોય (અથવા પહેલાં ક્યારેક થઈ હોય) કારણ કે તમને ગર્ભાવસ્થા અને તે પછીના સમયગાળા દરમિયાન તમારા શરીરમાં થતા ફેરફારોનો સામનો કરવા માટે વધારાના સહકારનો લાભ મળી શકે છે.