આનું નિદાન ગર્ભાવસ્થા પહેલાં કરવામાં આવે છે. આદર્શ રીતે ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનાવવા માટે પ્રિ-કંસેપ્શન કાઉંસેલિંગ ઑફર કરવામાં આવે છે.
આનો અર્થ શું છે?
મારા માટે: ગર્ભાવસ્થા પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયાનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમારી ડિલીવરી જલ્દી(પ્રેગ્નન્સીનાં 3- 8 અઠવાડિયાની આસપાસ) થઈ જશે એવી સંભાવના છે.મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધારે હોય છે. ગર્ભધારણ સમયે જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર સતત ઊંચું રહેતું હોય, તો બાળકમાં જન્મજાત ખામી હોવાનું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.
મેડિકલ ટીમ શી ભલામણ કરશે?
તમારે સંયુક્ત ડાયાબિટીસ અને પ્રેગ્નન્સી ક્લિનિકની અવારનવાર મુલાકાત લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડી શકે છે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.
તમને તમારા બ્લડ શુગર લેવલને દિવસમાં ઓછામાં ઓછા 4 વાર માપવાનું કહેવામાં આવશે: એક વાર નાસ્તો કરતાં પહેલાં (ઉપવાસ પછી) અને દરેક ભોજનનાં એક કલાક પછી. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર આપવામાં આવશે. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશરને પણ નિયમિત રીતે તપાસવામાં આવશે.
મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન ધ્યાન આપવું જોઈએ?
પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત પ્રસુતિ ટીમને જણાવો. ગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/ચિંતાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.
ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. મેટફોર્મિન અને ઇન્સ્યુલિન ગર્ભાવસ્થામાં ઉપયોગ માટે સલામત દવાઓ છે. જેમ જેમ તમારી ગર્ભાવસ્થા પ્રગતિ આગળ વધે છે, તેમ તેમ તમને વધુ ઇન્સ્યુલિનની જરૂર પડી શકે છે.
જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?
તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઇએ.
આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?
જો તમારી ટીમને લાગે કે પ્રસુતિ પીડા શરુ કરાવવી તમારા માટે સુરક્ષિત છે, તો તમને તે ઑફર કરવામાં આવી શકે છે. લેબર દરમિયાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.
જન્મ પછીની દેખભાળ પર આની શી અસર થાય છે?
જન્મ પછી તમારા પર અને તમારા બાળક પર ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતી વખતે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જ જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
બે ગર્ભાવસ્થા વચ્ચે પોતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?
મેટરનિટી કેરમાંથી રજા મળતા પહેલાં તમારે ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરી લેવો જોઈએ.