પ્લેસેન્ટા એક્રેટા (નાળનું ગર્ભાશયની દિવાલ સાથે ચીપકી જવું)

નાળ ક્યારેક ગર્ભાશયની દિવાલમાં અસાધારણ રીતે પ્રત્યારોપણ કરી શકે છે. આ એક દુર્લભ સ્થિતિ છે જેને પ્લેસેન્ટા એક્રેટા તરીકે ઓળખવામાં આવે છે. જો ગર્ભાશય પર અગાઉના ઘા હોય તો પ્લેસેન્ટા એક્રેટા થવાનું જોખમ વધારે હોય છે, જેમ કે અગાઉની સિઝેરિયન શસ્ત્રક્રિયા, વખતે જો ગર્ભાશયમાં ઘા રહી ગયા હોય તો નાળ તેમાં પ્રવેશ કરી જાય છે. આ એક ખૂબ જ ગંભીર સ્થિતિ છે જેને સંભાળવી મુશ્કેલ હોઈ શકે છે અને પ્રસૂતિ સમયે ક્યારેક હિસ્ટરેકટમી (ગર્ભાશયને દૂર કરવા માટેની ઓપરેશન) કરવાની જરૂર પડે છે.