શા માટે મને પ્રસૂતિવેદના શરૂ કરાવવાની ઑફર કરવામાં આવી શકે છે?
તમે સમય વીતી અથવા તારીખો પછી છો, એટલે કે તમારું બાળક હજી જન્મ્યું નથી અને તમારી નિયત તારીખથી ઓછામાં ઓછા 10-13 દિવસ થયા છે. પ્રસૂતિવેદના શરૂ કરાવવા માટે આ સૌથી સામાન્ય કારણ છે
તમારી મેડિકલ ઇતિહાસ સૂચવે છે કે વહેલો જન્મ તમારા અથવા તમારા બાળક માટે વધુ સુરક્ષિત રહેશે
તમારા બાળકની સુખાકારીની ચિંતા છે, એટલે કે કુદરતી રીતે પ્રસૂતિ શરૂ થાય તેની રાહ જોવા કરતાં વહેલા જન્મ લેવો તેના માટે સલામત રહેશે.
તમારું પાણી તૂટી ગયું છે અને પ્રસુતિ કુદરતી રીતે શરૂ થયો નથી.